અમદાવાદ,
અમદાવાદ ઝોનની 3 જિલ્લાની 11 શાળાઓની ગત વર્ષની પ્રોવિઝનલ ફી જાહેર થઇ છે. જે 2017-18ના શૈક્ષણિક વર્ષની પ્રોવિઝનલ ફી એક વર્ષ બાદ જાહેર કરવામાં આવી છે. જ્યારે 11માંથી માત્ર બે શાળાઓની 2018-19ની પ્રોવિઝનલ ફી મંજુર કરવાની બાકી છે.
રાજ્યભરની 1800 જેટલી ખાનગી શાળાઓને પોતાની દરખાસ્ત રજુ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મોટા ભાગની સ્કૂલોએ પોતાની દરખાસ્ત અને એફિડેવિટ રજુ કરી છે. જેની ફી નક્કી કરવા માટે ફી નિયમન કમિટીએ કામ શરુ કર્યું છે.
શાળા સંચાલકો દ્વારા ચતુરાઈ વાપરીને તેઓ વસૂલવા માંગતા હોય એટલી જ ફી ની મંજૂરી મળી હોવાના આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વાલીઓ દ્વારા એફઆરસી બાદ પણ જૈસે થે જ પરિસ્થિતિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેને જોતા તે સ્કૂલના વાલીઓ રોષે ભરાયા છે, એફઆરસી બાદ પણ મસમોટી ફી ચૂકવવા માટે વાલીઓ મજબુર બન્યા છે.
ખાનગી શાળાઓની ફી મામલે થતી મનમાની રોકવા માટે અને મધ્ય્મ તેમજ ગરીબ વર્ગના વાલીઓને સુવિધા આપવા માટે ગત વર્ષે એપ્રિલ મહિનામાં ફી નિયમન કમિટીની રચના કરવામાં આવી હતી. એફઆરસીના ગઠન બાદ જે ખાનગી શાળાઓ નિયત કરાયેલી ફી મુજબ ફી નથી લેતી તેમણે દરખાસ્ત રજુ કરવાની હોય છે,
જ્યારે નિયત ફી થી ઓછી ફી લેનાર અથવા એટલી જ ફી લેનાર શાળાઓને એફિડેવિટ રજુ કરવાની હોય છે. અમદાવાદ ઝોનમાં જુદી જુદી 800થી વધુ શાળાઓએ પોતાની દરખાસ્ત અને એફિડેવિટ FRC સમક્ષ રજુ કરાઈ હતી જેમાંથી હાલ ગત વર્ષ ની 9 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવાં આવી છે.
જો વાત કરીએ તો શાળા દ્વારા લેવાતી વધુ ફી પર તો મહેસાણાની ડિવાઇન ચાઈલ્ડ સ્કુલમાં 30થી 40 ટકા જેટલી ફી વસુલ કરતી હતી. જયારે ગાંધીનગરની ડિવાઇ ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ 40થી 50 ટકા જેટલી ફી વસુલ કરતી હતી.
રાજ્યભરની ખાનગી શાળાઓમાં લેવાતી ફી પર અંકુશ મેળવવા માટે એફઆરસીનું ઘટન ગત વર્ષે કરવામાં આવ્યું હતું, જેનું કામ શાળા દ્વારા લેવાતી વધુ ફી પર મંજૂરી કરવાનો છે જો નજર કરીએ એફઆરસીના ફી નિયમોની તો,,,
દર વર્ષે માત્ર 10 ટાકા સુધી થઇ શકે ફી વધારો
શાળા દ્વારા મુકવામાં આવતી દરખાસ્તો પર મહોર લગાવવી
શાળાઓના એફિડેવિટ મંજુર કરવા
એફઆરસી દ્વારા નક્કી કરાયેલા માળખા મુજબ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે
શાળા નિયત કરાયેલ ફી
પ્રાથમિક શાળા 15 હજાર
માધ્યમિક શાળા 25 હજાર
ઉચ્ચતર માધ્યમિક શાળા 27 હજાર
ઉચ્ચતર સાયન્સ માધ્યમિક શાળા 30 હજાર
ઉપરોક્ત મુજબ નક્કી કરાયેલ માળખા મુજબ જે શાળાને ફી મંજુર હોય તેમને દર વર્ષે એફિડેવિટ કરવવાની હોય છે જ્યારે જે શાળા આ ફી માળખા થી સહેમત નહોય તેમને દરખાસ્ત રજુ કરવાની હોય છે જેના બાદ એફઆરસી ચોકક સ તપાસો બાદ શાળાની ફી નક્કી કરે છે.
આમ વેપારીકરણ કરનાર સંચાલકો અગાઉથી જ વધારે ફી ની માંગ કરી ફાવતી ફી પર મંજૂરી મેળવવા માં સફળ થાય છે. 2 દિવસ આગાઉ એફઆરસી દ્વારા 9 શાળાઓની ગત વર્ષની ફી જાહેર થઇ છે ત્યારે આ વર્ષની ફી ની જાહેરાત થવાની વાલીઓ રાહ જોઈ રહ્યા છે.