સુરત,
સુરતમાં એક માર્કેટમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને પ્રવેશવા પર પ્રતિબંધ મૂકાયો છે. કિન્નરો દ્વારા એક યુવકને મારમારીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બાદ માર્કેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતાં સુરતમાં જાપાન માર્કેટના પ્રમુખ લલિત શર્માએ કહ્યું હતું કે, ‘કિન્નરો ઘણીવાર લોકોને હેરાન કરે છે. તેમને આવું કરવાથી રોકવા માટે તેમના પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે, જેથી તેઓ આવા કામ ન કરે. ‘ આ અંગે બજારમાં એક નોટિસ પણ લગાવમાં કરવામાં આવી છે.
જો કે, કિન્નરોનું કહેવૌ છે કે તેમને અન્યની ભૂલની સજા ન થવી જોઈએ. પાયલ કૌર નામના એક કિન્નરે કહ્યું કે, ‘અમે આ પ્રતિબંધથી ખૂબ નારાજ છીએ. ખાસ પ્રસંગોએ, આ બજારોમાંથી અમને જે નાણાં મળે છે તે આપણી આજીવિકાની સહાયતા છે. આ પ્રતિબંધ ખોટો છે. ‘
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.