અમદાવાદ,
ઉત્તરાયણના દિવસે ફાફડા જલેબી કે ચીકી ખાતા લોકોએ ચેતી જવાની જરૂર છે અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ ખાતા દ્વારા કેટલાક ફરસણના વેપારીઓને ત્યાંથી ખાદ્ય પદાર્થ ના નમૂના લેવાયા હતા.આમાંથી અનેક ખાદ્ય પદાર્થો આરોગ્યને હાની પહોંચાડે તેવા હતા
હેલ્થ ખાતાએ શહેરના જુદાજુદા વિસ્તારોમાં દરોડા પાડીને કુલ ૧૪ એકમોમાંથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતા. જેને લેબેરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.
મકરસંક્રાતિ પર્વ નિમિત્તે શહેરભરમાં ઉંધીયું, જલેબી, ચિક્કી, કચરિયું, તલ ચિક્કી, ધી સહિતના ખાદ્યપદાર્થોની ભારે માંગ હોય છે.હેલ્થ ખાતાએ આ ચીજોના નમૂના લીધા હતા. સુત્રો કહે છે કે આમાના ઘણા નમૂના આરોગ્ય માટે હાનિકારક હતા.
અમદાવાદ કોર્પોરેશન હેલ્થ ખાતાએ વેજલપુરમાં જીવરાજપાર્ક સોસાયટી પાસે શ્રી અર્બુદા ડેરી, કાલુપુરમાં બીએમ લાલા એન્ડ કાું.કે.લાલા સ્વીટ કોર્નર, જશોદાનગરમાં શ્રી અંબિકા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, દરિયાપુરમાં જહુર મોહમ્મદ મનમોહમ્મદ, નરોડામાં સાઇ ચિક્કી, પ્રેમદરવાજામાં હેપ્પીનેશ ટ્રેડીંગ ટ્રેડર્સ, મણિનગરમાં લિજ્જત ખમણમાંથી શંકાસ્પદ ખાદ્યપદાર્થના નમુના લેવાયા હતા.
ઉપરાંત મણિનગરમાં મહેતા ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, રાયપુરમાં લખનઉં ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, નહેરૃનગરમાં લક્ષ્મી ગાંઠીયા રથ,પાલડીમાં ચંપાજી ગુલાબજામુંન હાઉસ, પાલડીમાં જુના શેરબજાર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, નહેરૃનગર ચાર રસ્તા દાસ ખમણ હાઉસ, અને અમે ગુજરાતી સહિતના એકમોમાં દરોડા પાડીને ત્યાંથી ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમુના લેવાયા હતા.