અમદાવાદ,
એક તરફ લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે.શહેરમાં દરરોજ એક હત્યાની ઘટના બની રહી છે.સોલા, વાસણા અને નારણપુરા બાદ હવે વટવા વિંઝોલ ફાટક પાસે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.છરીના ઘા મારીને આ યુવકની હત્યા કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે વટવા પોલીસને બુધવારે જાણ થઈ હતી કે વિંઝોલ રેલવે ક્રોસિંગ પાસે ખેતરમાં એક યુવકની લાશ પડી છે. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતા યુવકની લાશ મળી આવી હતી તેના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલી અને મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરી હતીમૃતકની તપાસ કરતા તેનું નામ સુનિલદત્ત રામ (ટંકાર રેસીડેન્સી, વટવા) હોવાનું બહાર આવ્યુંહતું.
મંગળવારે રાતે સુનિલ ઘરે આવ્યો ન હતો. બીજા દિવસે નોકરીના સ્થળે તપાસ કરતા ત્યાં પણ નોકરીએ આવ્યો ન હતો. જેથી વટવા પોલીસમાં નોંધ કરવામાં આવી હતી. બીજી તરફ લાશ મળતાં પોલીસે તેમના પરિવારને જાણ કરી હતી.