અમદાવાદઃ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી નોટબંધી પર પ્રહાર કરતા જણાવ્યું હતં કે, નોટબંધી પર બોલતા કામથે જણાવ્યુ હતું કે, નોટબંધી એ મોદી સરકારનું તુઘલખી ફરમાન છે. નોટબંધી પર જિલ્લી કલેક્ટર કચેરીનો તેમજ તાલુકા કચેરીનો ઘેરાવો કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધી કરતી વખતે 50 દિવસની સમય મર્યાદા માંગી હતી અને જણાવ્યું હતું કે, 50 દિવસ બાદ પરિસ્થિતિ કાબુમાં આવી જશે. પરંતું પરિસ્થિતિમાં કોઇ પરિવર્તન ના આવતા કૉંગ્રેસ દેશ વ્યાપી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
ગુગલની મોસ્ટ ફુલિસ્ટ ગવર્મેન્ટમાં મોદી સરકારનુ નામ છે. મોદી પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના જવાબ આપવાથી કેમ ભાગી રહ્યા છે. મોદીના ભ્રષ્ટાચારની તપાસ સીબીઆઇ અને ઇન્કમટેક્સ વિભાગે કરવી જોઇએ.મોદીની ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરવા જોઇન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની માગ કરી છે.
બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને નેતા વિપક્ષ શંકરસિંહ વાધેલાને દિલ્હી બોલાવ્યા હતા.