અમદાવાદ,
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ઝોન 1ના ડીસીપી જયપાલસિંહ રાઠોર વિરુદ્ધ ગેરવર્તણૂક મુદ્દે પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી છે. પાસ દ્વારા માનવ અધિકાર મંચ, અમદાવાદ પોલીસ કમિશ્નર અને ગૃહ વિભાગને પત્ર લખી લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
જેમાં તેમણે ડીસીપી સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને નિખીલ સવાણીના જણાવ્યા અનુસાર તેમને હાર્દિક પટેલને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.