ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ યુપીના સુલતાનપુરમાં માનહાનિના કેસની સુનાવણી થઈ રહી છે. જો કે રાહુલ ગાંધી હાલ આ કેસમાં જામીન પર છે. આ કેસની સુનાવણી આ મહિને 22મી એપ્રિલે થવાની હતી. પરંતુ એમપી એમએલએ કોર્ટના જજની બદલીને કારણે તે દિવસે સુનાવણી થઈ શકી ન હતી. હવે રાહુલ ગાંધીની ટિપ્પણી મામલે આજે કોર્ટમાં સુનાવણી થવાની છે.
સુલતાનપુરના બીજેપી નેતા વિજય મિશ્રાએ રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને અહીંના MP MLA કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.
બીજેપી નેતા વિજય મિશ્રાની ફરિયાદ બાદ કોર્ટે ગયા વર્ષે નવેમ્બરમાં રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા. બાદમાં આ વર્ષે 20 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા અને તેમને જામીન મળ્યા હતા.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરીની લોકસભા બેઠકની ચૂંટણીની તારીખોમાં કરાયો ફેરફાર
આ પણ વાંચો:હેમંત સોરેનની જમાનત અરજી પર આજે PMLA કોર્ટમાં થશે સુનાવણી, જમીન કૌભાંડ કેસ સંબંધિત વિવાદ
આ પણ વાંચો:બંનેમા વાસના હતી, પરંતુ માત્ર છોકરો બલિનો બકરો બન્યો,POCSO કેસમાં હાઈકોર્ટે આ શું કહ્યું ?