Parshuram Jayanti 2026 Special: પરશુરામ જન્મોત્સવના શુભ અવસર પર હોમ્બલે ફિલ્મ્સે પોતાની આગામી એનિમેટેડ ફિલ્મ ‘મહાવતાર પરશુરામ’ (Mahavatar Parshuram) નું પ્રથમ પોસ્ટર અને ટીઝર રિલીઝ કરીને ચાહકોને મોટી ભેટ આપી છે. આ ફિલ્મ ‘મહાવતાર સિનેમેટિક યુનિવર્સ’નો એક મહત્વનો હિસ્સો છે, જે ભારતીય એનિમેશનના સ્તરને વૈશ્વિક સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
A STORM RISES AGAINST ADHARMA 🪓🔥
Presenting the #MahavatarParshuraam Title Reveal Motion Poster
▶️ https://t.co/Oq67fvQeS6Coming to cinemas December 2027.@hombalefilms @VKiragandur @AshwinKleem @kleemproduction @shilpaadhawan @SamCSmusic @MahavatarTales pic.twitter.com/sWHLajbunz
— Hombale Films (@hombalefilms) April 19, 2026
ટીઝરમાં રૌદ્ર સ્વરૂપની ઝલક
અશ્વિન કુમારના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું પોસ્ટર અત્યંત ભવ્ય છે. તેમાં ભગવાન પરશુરામના તેજસ્વી યોદ્ધા સ્વરૂપને યુદ્ધના મેદાનમાં હાથમાં લોહીથી લથપથ ‘પરશુ’ (કુહાડી) સાથે બતાવવામાં આવ્યા છે. ટીઝરમાં એક શક્તિશાળી સંવાદ પણ સાંભળવા મળે છે: “જ્યારે ધર્મનું પતન થાય છે, ત્યારે પરશુનો ઉદય થાય છે.” આ ટીઝરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
‘મહાવતાર નરસિંહ’ની ભવ્ય સફળતા અને ઓસ્કર
તમને જણાવી દઈએ કે, આ સિરીઝની પ્રથમ ફિલ્મ ‘મહાવતાર નરસિંહ’ (2025) એ બોક્સ ઓફિસ પર 300 કરોડથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો. એટલું જ નહીં, આ ફિલ્મને 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર) માટે ‘બેસ્ટ પિક્ચર’ કેટેગરીમાં દાવેદાર તરીકે સ્થાન મળ્યું છે, જે ભારતીય સિનેમા માટે ગૌરવની વાત છે.
A STORM RISES AGAINST ADHARMA 🪓🔥
Presenting the #MahavatarParshuraam Title Reveal Motion Poster
▶️ https://t.co/Oq67fvQeS6Coming to cinemas December 2027.@hombalefilms @VKiragandur @AshwinKleem @kleemproduction @shilpaadhawan @SamCSmusic @MahavatarTales pic.twitter.com/sWHLajbunz
— Hombale Films (@hombalefilms) April 19, 2026
ક્યારે થશે રિલીઝ Film ?
‘મહાવતાર પરશુરામ’ (Film) ડિસેમ્બર 2027 માં સિનેમાઘરોમાં 3D ફોર્મેટમાં રિલીઝ થશે. આ ફિલ્મ બાદ પણ હોમ્બલે ફિલ્મ્સ પાસે પૌરાણિક કથાઓનો આખો ખજાનો તૈયાર છે.
મહાવતાર સિનેમેટિક યુનિવર્સનું ભવિષ્ય:
| ફિલ્મનું નામ | સંભવિત રિલીઝ વર્ષ |
| મહાવતાર નરસિંહ | 2025 (રિલીઝ થઈ ચૂકી છે) |
| મહાવતાર પરશુરામ | ડિસેમ્બર 2027 |
| મહાવતાર રઘુનંદન | 2029 |
| મહાવતાર દ્વાકાધીશ | 2031 |
| મહાવતાર ગોકુલાનંદ | 2033 |
| મહાવતાર કલ્કિ (ભાગ 1) | 2035 |
| મહાવતાર કલ્કિ (ભાગ 2) | 2037 |
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: મારો આત્મા દાઉદમાં વસે છે’, અંડરવર્લ્ડ ડોન પર રામ ગોપાલ વર્માનું ચોંકાવનારું નિવેદન
