હિંમતનગર,
ભાદરવી પૂનમ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભક્તોનો સંખ્યા વધતી જતી હોય છે. બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે ભક્તોનો ધસારો જોવા મળે છે.
અંબાજી જતા પદયાત્રાઓ માટે ઠેર ઠેર વિસામાં ઉભા કરી દેવામાં આવ્યા છે. હિંમતનગરના વીરપુરમાં રોકડીયા હનુમાન મંદિર પાસે શ્રી સંકટમોચન હનુમાન ભક્ત મંડળ દવારા સેવા ભાવિક એવા અતુલભાઈ પટેલે દર વર્ષે અંબાજી જતા લોકો માટે સુંદર રીતે અને તેમના ૩૦૦ સભ્યો સાથે સેવા પૂરી પાડે છે.
છેલ્લા ૧૨ કેમ્પ નો આયોજન કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં ભોજન, દવા ની મસાજ કરી આપવામાં આવે છે. જ્યારે અમદાવાદની ખેરી હોસ્પિટલ દવારા મફત ડાયાબિટી ચેકપ, બીપી ચેક અને યાત્રાળુઓને માલીસ કરી અપવામાં આવે છે. સાથે સાથે યાત્રાળુઓ માટે પાણી પુરીની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ ના મ્યુન્સિપલના કાઉન્સિલર અતુલભાઈ પટેલે દર વર્ષે હિંમતનગરમાં આવી ને અંબાજીમાંને દર્શન કરવા જતા લોકો માટે વિસામાનું આયોજન કરે છે.
હાલ માં અંબાજીમાના દર્શન કરવા જતા પગપાળાઓ વિવિધ રથો સાથે સંગીતના સથવારે નાચતા જોવા મળ્યા હતા. જ્યારે રસ્તા પર નજર કરીએ તો ભક્તોની ભારે ભીડ જોવા મડી રહી છે.