સ્વામી વિવેકાનંદ જ્ઞાન, હિંમત અને બલિદાનની સાચી મૂર્તિ હતા, તેમની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે જે આજે પણ જીવનમાં સાકારાત્મક રીતે આગળ વધવાની પ્રેરણા આપે છે. આપને જણાવી દઇએ કે, સ્વામી વિવેકાનંદ યુવા પેઠી માટે એક આદર્શ છે. તેમના શબ્દો હતા કે લક્ષ્ય નક્કી કરો. એકવાર લક્ષ્ય નિશ્ચિત થઈ જાય, તે પછી યુવાનીનાં જીવનનું નિર્માણ શરૂ થઇ જાય છે. લક્ષ્યનાં અભાવમાં આપણી 99 ટકા શક્તિઓ વેરવિખેર થતી રહે છે. તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે દરેક શબ્દ, દરેક વિચાર અને દરેક ક્રિયા તમારા માટે સંગ્રહિત રહેશે. જે રીતે દુષ્ટ વિચારો અને કાર્યો હંમેશાં ખૂંખાર સિંહની જેમ તમારા પર ઝપટવા માટે ઉત્સુક રહેશે, તેવી જ રીતે સારા વિચારો અને કાર્યોની શક્તિ હજારો દેવદૂતોની જેમ હંમેશાં તમારું રક્ષણ કરવા માટે તૈયાર રહેશે.
સ્વામી વિવેકાનંદનાં 5 પ્રેરણાદાયી વિચારો
1-ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત થાય નહી ત્યાં સુધી રોકાશો નહી.
2-કોઈ તમને ભણાવી શકશે નહીં, કોઈ તમને આધ્યાત્મિક બનાવી શકશે નહીં. તમારે બધુ જ અંદરથી શીખવાનું છે. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી.
3-સત્ય એક હજાર રીતે કહી શકાય, તેમ છતાં દરેક સત્ય જ હશે.
4-પોતાને નબળા સમજવું એ સૌથી મોટું પાપ છે.
5-બાહ્ય સ્વભાવ માત્ર આંતરિક સ્વભાવનું એક મોટું સ્વરૂપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.