Not Set/ ભાવનગરમાં નર્સે સુસાઇડ નોટમાં લવ યુ મમ્મી-પાપા લખી કર્યો આપઘાત

હોસ્પિટલના નવા બિલ્ડિંગના સાતમા માળે નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે. તેણીએ સ્ટોર રૂમમાં દોરડાં વડે…

Gujarat Others
આપઘાત

ગુજરાતમાં સતત આપઘાતના બનાવ વધી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરની સર ટી. હોસ્પિટલના સાતમા માળે ફરજ બજાવતી નર્સે કોઈ કારણોસર હોસ્પિટલના સ્ટોર રૂમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. બનાવના પગલે ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો :સતલાસણા હાઈવે પર બાઈકને બચાવવા જતાં કાર કુવામાં ખાબકી, બે લોકોના મોત

મળતી માહિતી અનુસાર, હોસ્પિટલના નવા બિલ્ડિંગના સાતમા માળે નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતી અમી મકવાણા નામની 22 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે. તેણીએ સ્ટોર રૂમમાં દોરડાં વડે ગળાફાંસો લગાવી મોત વ્હાલું કર્યું છે. હાલ બનાવને લઇ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે, અને આત્મહત્યા અંગેની વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કરનાર યુવતી શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતી હોવાનું અને હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઇઝ પર નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : સુરત કડોદરા GIDCમાં લાગી આગ એક કર્મચારીનું મોત, 15થી વઘુ કર્મચારીઓ દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા

આપઘાત કરનાર યુવતીની બેગ માંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેને પોલીસે કબ્જે લઈ લીધી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે યુવતી ને લગ્ન નહોતા કરવા તેથી તેને આ પગલું ભર્યું હોવાનો ખુલાસો સુસાઇડ નોટમાં કર્યો છે. તેણીએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મારે લગ્ન નથી કરવાં એટ્લે આ પગલું ભરું છું, લવ યુ મમ્મી… લવ યુ પપ્પા. જ્યારે બીજી તરફ હોસ્પિટલ માં નર્સિંગ સ્ટાફ ની યુવતીના આપઘાતને પગલે હોસ્પિટલ તંત્ર દોડતું થયું હતું અને તેમજ પોલીસે યુવતી નો ફોન તથા અન્ય વસ્તુઓ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ઈદે-મિલાદની ઉજવણીમાં છૂટછાટ,15 વ્યક્તિઓ અને એક વાહન થઇ શકશે સામેલ

ક્યાં કારણોસર સર ટી. હોસ્પિટલના સ્ટોર વિભાગમાં યુવતીએ આત્મહત્યા કરી લીધી છે? તેનું સત્ય પોલીસ તપાસ બાદ જ સામે આવશે. હાલ પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે મૃતક યુવતી સાથે કામ કરતા કર્મચારીઓ અને હોસ્પિટલ સ્ટાફની પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગઢડામાં 20 કરોડના ખર્ચે નવ નિર્મિત લિંબતરું યાત્રી ભવનનું લોકાર્પણ કરાયું

આ પણ વાંચો :ચોટીલાના નાવા ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં છાત્રાર્પણ સમારંભ યોજાયો