કહેવાય છે કલા એ કુદરત એ આપેલું વરદાન હોય છે લોકો ગમે તે કરે પણ હુન્નર કે કલા ની કોપી ન કરી શકે ભારત દેશ માં અલગ અલગ રાજ્ય અલગ ભાષા તો અલગઅલગ કલા પણ છે દરેક કલા ની વિશેષ મહત્વ હોય છે દરેક કળા કઈક ને કઈક સંદેશ આપતી હોય છે કુદરતએ આપેલી કલા ઘણીવાર માણસ ને ફેમસ કરી દેતો હોય છે.
જી હા અમે વાત કરી રહ્યા છીએ કે બનાસકાંઠા ના વડગામ તાલુકા ના જલોત્રા ગામ ની…જ્યાં વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુ બનાવનાર એક એવા વ્યકિતને જે ધરમાં સોભાવતી અનોખી કલા ની વડગામ તાલુકાના જલોત્રા ગામે રહેતા કલરનું કામ કરતા વ્યક્તિએ અચાનક શ્રીફળમોથી અલગ અલગ પ્રકારની વેરાયટી બનાવી છે જે આજે સમગ્ર પથક માં લોકો ની આકર્ષણ નું કેન્દ્ર બની છે.
વડગામના જલોત્રા ગામના શંકરભાઈએ સાત વર્ષ પહેલા કલર કામ કરતા હતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. જોકે એક સમયે તેમના હાથમાં શ્રીફળ લઈને વિચાર આવ્યો કે શ્રીફળ ઘસીને તેમને એક પેન્ટ કરી એમાંથી ચા નો કપ બનાવ્યો હતો. ત્યારબાદ શંકરભાઇએ શ્રીફળ માંથી અલગ અલગ પ્રકારની ચીજો બનાવવા લાગ્યા જોકે આપ જોઈ શકો છો કે શ્રીફળમાંથી અનેક મનમોહક અને આબેહૂબ ડિઝાઇનો બનાવી છે અલગ અલગ પ્રકારની 250 થી ડિઝાઇનો બનાવી છે કોઈપણ ટેકનોલોજી મશીનનો વગર ઉપયોગે માત્ર પોતાના ટેલેન્ટથી અને હાથ મહેનતથી બનાવેલી વેરાઈટીઓ જોઈએ તમે પણ જોઈને ચોકી ઉઠશો.
જોકે શ્રીફળ માંથી મનમોહન વેરાઈટીઓ જોવા અને ખરીદવા દૂર દૂરથી લોકો તેમના સ્ટોર અને ઘર પર આવે છે. એક વેરાઈટી બનાવવામાં શંકરભાઈને એક દિવસનો સમય લાગે છે. જ્યારે ઘણી બધી વેરાઈટીઓ બે ત્રણ દિવસ લાગતા હોય છે. જોકે પાલનપુર કે વળગામની આજુબાજુ લાગતા મેળામાં પ્રદર્શન કરી પોતાની વેરાયટીઓ પ્રદર્શન કરીને પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓ વેચીને પોતાનું ગુજરાત ચલાવે છે. જોકે શંકરભાઈએ જણાવ્યું હતું કે આ વેરાઈટીઓ ગુજરાતના એક પણ જગ્યાએ કોઈ પણ શહેર કે ગામડામાં બનાવતું નથી. જોકે અમુક બનાવટ 400થી 500 રૂપિયામાં વેચાણ થાય છે. જ્યારે કપ જેવી ચીજ વસ્તુઓ 100 રૂપિયામાં વેચાય છે. જોકે જોકે એમની દુકાન પર આવેલા ગ્રાહકો ગ્રાહકો હાથથી બનાવેલી અનેક પ્રકારની વેરાઈટીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
World/ અમેરિકામાં ફરી ગોળીબાર, ઇન્ડિયાનામાં હુમલાખોર સહિત 4ના મોત