Not Set/ કાલોલ તાલુકામાં તાઉતે વાવાઝોડાનાં પગલે ઘરનાં પતરા, વૃક્ષો અને વીજ થાંભલા જમીન દોસ્ત થયા

કાલોલ તાલુકાના કાતોલ ગામમાં વચલા ફળિયામાં વાવાઝોડાનાં કારણે ઘરનાં પતરાં ઉડ્યા જોકે કોઈ જાનહાનિ થઈ નથી.

Gujarat Others
તાઉતે વાવાઝોડું 41 કાલોલ તાલુકામાં તાઉતે વાવાઝોડાનાં પગલે ઘરનાં પતરા, વૃક્ષો અને વીજ થાંભલા જમીન દોસ્ત થયા

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

અરબ સમુદ્રમાં ઉદ્ભવેલા તાઉતે વાવાઝોડાનાં પગલે પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા સલામતીનાં આગોતરા પગલા હાથ ધરવામાં આવ્યા છે. હાલની સ્થિતિએ જિલ્લામાં આ વાવાઝોડા પગલે કોઈ ગંભીર અસરની આગાહી ન હોતી. પરંતુ કોઈપણ સંભવિત વિપરીત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાઉતે ની અસર: રાજ્યમાં 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ, જાણો ક્યા કેટલો નોંધાયો

આ પૂર્વ તૈયારીઓની સમીક્ષા હાથ ધરતા જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ભારે પવનો કે વરસાદની સ્થિતિમાં વીજપુરવઠાને લગતા પ્રશ્નો હોસ્પિટલ્સ સહિતનાં અગત્યનાં સ્થળોએ ન સર્જાય તે માટે ઉર્જા વિભાગનાં તેમજ આર એન્ડ બીના ઈલેક્ટ્રીકલ એન્જિનિયર્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, તમામ નગરપાલિકા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન કે વરસાદના કારણે ભયજનક બની શકતા હોર્ડિંગ્સ, થાંભલા ઉતારી લેવામાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટીનાં માધ્યમથી લોકોને આ સ્થિતિમાં ભયજનક બની શકે તેવા બાંધકામોમાં આશરો ન લેવા અને પૂરતા સલામત સ્થળે જવા, પશુઓને પણ સલામત સ્થળે રાખવા જણાવાયું છે. ખુલ્લામાં રહેલા કૃષિ પાકોને પણ નુકસાન ન થાય તેવા સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે.

વાવાઝોડાની અસર: તાઉતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર, ગુજરાતમાં છોડ્યા વિનાશક દ્રશ્યો

આ ઉપરાંત પવનનાં કારણે વૃક્ષ પડવાના કારણે રોડ બ્લોકેજ થાય તો વૃક્ષ તુરંત હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા ટીમો તૈયાર રાખવા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને સૂચના અપાઈ છે. તેમજ આ વિભાગોની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પંરતુ કુદરત રૂઠે તો માનવી પણ શું કરે જેનાં પગલે સાવચેતીઓ હોવા છતાં કાલોલ નગરમાં બપોર પછી તાઉતે વાવાઝોડાની અસર જોવા મળતા કસ્બા વિસ્તારમાં તેમજ નગર પાલિકાનાં કોમ્પલેક્ષનાં ચોગાનનું વૃક્ષ અને ઈલેક્ટ્રીક વીજ થાંભલો પડી જતાં નગરનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે વાવાઝોડાનાં કારણે ખેડૂતોનાં બાજરીનાં પાકોને નુકસાન થવાની સંભાવના છે. વાવાઝોડાનાં કારણે ખેડૂતોમાં પણ એક ચિંતાનો વિષય બની ગયો છે.

kalmukho str 15 કાલોલ તાલુકામાં તાઉતે વાવાઝોડાનાં પગલે ઘરનાં પતરા, વૃક્ષો અને વીજ થાંભલા જમીન દોસ્ત થયા