Manipur Violance/ મણિપુરમાં ટોળાએ પોલીસ ઓફિસને ઘેરવાનો પ્રયાસ બાદ સ્થિતિ વણસી, ઈમ્ફાલમાં કર્ફ્યુમાં છૂટછાટ પાછી ખેંચાઈ

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે કર્ફ્યુમાં છૂટછાટના આદેશો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા હતા

Top Stories India
8 મણિપુરમાં ટોળાએ પોલીસ ઓફિસને ઘેરવાનો પ્રયાસ બાદ સ્થિતિ વણસી, ઈમ્ફાલમાં કર્ફ્યુમાં છૂટછાટ પાછી ખેંચાઈ

મણિપુરમાં પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવવાની સાથે, ઈમ્ફાલમાં કર્ફ્યુમાં છૂટછાટ પાછી ખેંચી લેવામાં આવી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે કર્ફ્યુમાં છૂટછાટના આદેશો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે શસ્ત્રોની માંગણી કરતા ટોળાએ રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં મણિપુર પોલીસ ઓફિસ સંકુલનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સત્તાવાળાઓએ હવામાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને બે જિલ્લામાં કર્ફ્યુમાં છૂટછાટ પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો.

લોકોના એક જૂથે રાજભવન નજીક 1 મણિપુર રાઇફલ્સ સંકુલ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં મુખ્ય પ્રધાનના કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે હવામાં અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. મંગળવારે સવારે મોરેહ શહેરમાં આદિવાસી આતંકવાદીઓએ ફરજ પરના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા કર્યા પછી રાજ્યની રાજધાનીમાં તણાવ હતો. કમાન્ડોની હત્યા બાદ તરત જ આસામ રાઈફલ્સ પાસેથી મદદ લેવામાં આવી હતી. આતંકવાદીઓએ આસામ રાઈફલ્સ પર હુમલો કર્યો હતો.