Surendranagar/ સુરેન્દ્રનગરમાં સળગાવેલી હાલતમાં માનવ અંગો મળી આવતા ચકચાર

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગ્રામજનોને…….

Gujarat Top Stories
Image 56 સુરેન્દ્રનગરમાં સળગાવેલી હાલતમાં માનવ અંગો મળી આવતા ચકચાર

Surendranagar : સુરેન્દ્રનગરમાં સળગાવેલી હાલતમાં માનવ અંગો મળી આવતા ચકચાર મચી છે. સાયલાના ગુંદિયાવડામાં માનવ અંગોને લઈ કુતૂહલ સર્જાયું છે. ધજાળા પોલીસને આ ઘટનાની જાણ થતાં સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. ધજાળા પોલીસ માનવ અંગોને રાજકોટ ફોરેન્સિક પી.એમ. અર્થે મોકલ્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકામાં ગ્રામજનોને સળગાવેલી હાલતમાં માનવ અંગો મળી આવ્યા હતા. ગુંદિયાવડા ગામમાં માનવ શરીરનું હાડપિંજર મળી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. સળગાવેલી હાલતમાં માનવ અંગો મળી આવતા ધજાળા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે, આ માનવ અંગ કોનું હોઈ શકે, ક્યારે આ ઘટના બની હતી વગેરે સંદર્ભમાં વિગતવાર તપાસ કરવા પોલીસે માનવ અંગોને રાજકોટ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ફોરેન્સિક રિપોર્ટ આવતા આગળ કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત