દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે કોરોનાનો આંક સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવી રહ્યા છે. મહત્વનુ છે કે થોડા દિવસ થી કેસોમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 6679 નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ 2350 માં નોંધાયા છે. સુરતમા છેલ્લા 24 કલાક માં 277 કેસ નોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં809 કેસ, રાજકોટમાં 602,ગાંધીનગરમાં કેસ નોંધાયા 288 છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 14,171કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં મોત 35 થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 11,71,922 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 10,66,393 ગઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાથી આજે 35 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 6679 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 2350 કેસ
વડોદરામાં 809, સુરતમાં 277 કેસ
રાજકોટમાં 602, ગાંધીનગરમાં 288 કેસ
છેલ્લા 24 કલાકમાં 14,171 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 83,793
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 11,71,922
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 10,66,393