સમગ્ર વિશ્વમાં કોરોનનાઇ બીજી લહેર ભયાનક જોવા મળી હતી જેમાં લખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે સરકાર દ્વારા કેસોને નિયંત્રણમાં લાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતિઉ. જેમાં અલખો લોકોએ વેક્સિન લઈને સુરક્ષિત થયા હતા. ત્યારે હવે એવો જ એક નવો જ રોજ આવી રહ્યો છે . જેમાં વિશ્વમાં ઓમિક્રોનની એન્ટ્રીના તમામ દેશો કોરોના મામલે એલર્ટ થઇ ગયા છે,તેમજ દિવાળી પછી લોકોની બેદ્ર્કારીના ના લીધે કેસો માં સતત દિવસે ને દિવસે વધતાં જોવા મળી રહ્યા છે.પણ કોરોનાના નવા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 67કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે જે ચિંતાજનક બાબત છે,હાલ રાજ્યમાં કોરોના પ્રત્યે બેદરકારી જોવા મળી રહી છે,સરકારની ગાઇડલાઇન નેવે મુકી દીધી છે,જેના લીધે ત્રીજી લહેર આવવાની સંભાવના નકારી શકાય નહી આજે જે રીતે કેસમાં ઉછાળો જોવા મળ્યો છે તંત્ર માટે રેડ એલર્ટ સમાન છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 કેસ નોંધાયા છે,જ્યારે અમદાવાદમાં સૈાથી વધારે 25કેસ કોરોનાના નોંધાયા છે.જ્યારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારોથઇ રહ્યો છે,છેલ્લા 24 કલાકમાં 22 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.
ગુજરાતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 417ને પાર થઇ છે,કુલ કોરોનાના કેસની સંખ્યા 8,27,383 છે અને રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનાર કુલ દર્દીઓની સંખ્યા 8,17,361 થઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો યથાવત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 67 કેસ
અમદાવાદમાં સૌથી વધુ કોરોનાના 25 કેસ
સુરતમાં કોરોનાના 15 કેસ નોંધાયા
છેલ્લા 24 કલાકમાં 22 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં કોઈ મૃત્યુ નહી
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 417
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,383
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,361