ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી ‘હમ સાથ સાથ હૈ’ ની વાતો કરી રહ્યા છે, પરંતુ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં બંને દળોનાં રસ્તા અલગ-અલગ છે. સમાજવાદી પાર્ટી કર્નાતાકમાં લગભગ બે ડજન સીટો પર ચુંટણી લડશે અને પ્રમુખ અખિલેશ યાદવ ત્યાં પરચાર પણ કરશે. ત્યાં જ બીજી બાજુ બહુજન સમાજ પાર્ટી ફેબ્રુઆરીમાં જ જાહેરાત કરી ચુકી છે કે તે કર્ણાટકમાં જનતા જેએસડી સાથે ચુંટણી લડશે.
સમાજવાદી પાર્ટીના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે,
સમાજવાદી પાર્ટી કર્નાટક વિધાનસભામાં લગભગ બે ડજન સીટો પર ચુંટણી લડશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ મે મહીના પહેલા સપ્તાહથી જ ઉમેદવારો માટે ચુંટણી પ્રચારની શરૂઆત કરશે.”
ઉતરપ્રદેશ વિધાનસભા ચૂટણીમાં સપા અને કોંગ્રસે તાલમેલ કરી ચુંટણી લડી હતી, પરંતુ કર્નાટકમાં બંને દળો વચ્ચે એવી કોઈ સંભાવના નથી.
આ વખતે મહિમા ચૌધરીએ જણાવ્યું હતું કે,
અમારી બસપાથી દોસ્તી અને ગઠબંધન માત્ર ઉત્તરપ્રદેશ માટે છે, નહિ કે અન્ય કોઈ પ્રદેશ માટે. જ્યાં સુધી કોંગ્રેસની વાત છે ત્યાં 2017 ની વિધાનસભા ચુંટણી અમે તેમની સાથે લડી હતી, અન્ય પ્રદેશ માટે બંને પાર્ટીઓ માટે એવી કોઈ વાત નથી.”
બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા બે મહિના પહેલા જ જાહેરાત કરી ચુક્યા છે કે પાર્ટી કર્ણાટક વિધાનસભા ચુંટણી માટે જેએસડી સાથે ગઠબંધન કર્યું છે. તેમણે કર્ણાટકમાં અંદાજે 20 સીટો પર ચુંટણી લડવાની જાહેરાત કરી છે.
એટલે કે બસપા એ ગોરખપુર અને ફૂલપુર લોકસભાના ઉપ-ચૂટણીમાં સપાનું સમર્થન કર્યું હતું. ત્યાં જ, સપા એ રાજ્યસભા અને વિધાનસભા ચુંટણી માં બસપા પ્રત્યાશીનું સમર્થન કર્યું હતું.