વડોદરા,
કોંગ્રેસના ભારત બંધ દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં એસટી બસ પર પથ્થર મારો થતા માહોલ ગરમાયો હતો. માંજલપુરમાં બંધે હિંસક સ્વરૂપ લેતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બંધમાં પથ્થર મારો થતા વાહન ચાલકોમાં ભયના માહોલ ફેલાયો હતો જેન કારણે સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર થંભી ગયો હતો.