હત્યા/ વડોદરામાં જમાઈએ જ સાસુને ઉતારી મોતને ઘાટ, પછી કર્યું આવું…

માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટીમાં હત્યાનો બનાવ છે. ખૂદ જમાઇએ જ સાસુની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Gujarat Vadodara
વડોદરામાં
  • વડોદરાના માંજલપુરમાં જમાઇ દ્વારા સાસુની હત્યા
  • કલ્યાણ બાગ સોસાયટીમાં સવિતા પટેલની હત્યા
  • જમાઈ વિશાલ અમીને કરી સાસુની હત્યા
  • હત્યા બાદ જમાઈ પોલીસ સ્ટેશનમાં થયો હાજર
  • આરોપીએ પોતે ગુનો આચર્યાની કરી કબૂલાત
  • હત્યા પાછળનું કારણ અકબંદ
  • પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી

રાજ્યમાં કોરોના કેસ સાથે સાથે આપઘાત અને હત્યાના બનાવ પણ સતત વધી રહ્યા છે. ત્યારે આવામાં વડોદરામાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટીમાં હત્યાનો બનાવ છે. ખૂદ જમાઇએ જ સાસુની હત્યા કરી નાંખતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સાસુ સવિતાબેન પટેલની તેમના જ ઘરમાં જમાઈએ હત્યા કરી નાંખી હતી. જમાઈ વિશાલ અમીન દ્વારા પોતાના જ સાસુની નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યા કર્યા બાદ હત્યારો જમાઈ પોલીસ સ્ટેશને હાજર થયો હતો. તેમજ પોતે હત્યા કરી ગુનો આચાર્યો હોવાની કબૂલાત કરી હતી. હત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. પોલીસ દ્વારા પાડોશીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

આ પણ વાંચો:કચ્છની ટ્રાન્સવર્લ્ડ ફર્ટિકેમ કંપનીમાં DRI-SIB કસ્ટમ વિભાગના દરોડા

મહત્વનું છે કે, આ પહેલા પ્રેમલગ્ન બાદ દહેજ માટે સાસરિયાઓના અમાનુષી ત્રાસથી કંટાળી પરિણીતાએ પતિ તથા દિયર, સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ સાસરી તથા પિયર પક્ષમાં  છબી ખરડાવવાનો પ્રયાસ કરી માતા અને ભાઈને જાનથી મારી નાંખવાની ધમકીના આક્ષેપ પરણીતાએ કર્યા છે.

વડોદરામાં રહેતી યુવતીએ વર્ષ 2019 દરમિયાન બંને પરિવારોની સંમતિથી પટના ખાતે રહેતા તરુણકુમાર રણજીત સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેણીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, કરિયાવરમાં ઘરવખરીનો 10 લાખનો સામાન મળ્યો હતો. ત્યારબાદ સાસરિયાઓએ દહેજ પેટે જમીન ખરીદવા 20 લાખ તથા  કાર ખરીદવા 05 લાખની માંગણી કરી હતી. જેના પુરાવા રૂપે વીડિયો ક્લિપ છે. ત્યારબાદ સાસરિયાઓએ અલગ અલગ કારણોસર પિયરમાંથી નાણાં લાવવા દબાણ કર્યું હતું.

આ પણ વાંચો:  વલસાડની ત્રણ શાળામાં બાળકો થયા કોરોના સંક્રમિત, જાણો સમગ્ર વિગત

લગ્ન અગાઉ નોકરી કરવા માટેની બાંહેધરી આપી હતી પરંતુ લગ્ન બાદ નોકરીનું જણાવતા પતિ ઢોર મારમારી દિવાલમાં માથું પછાડી મોહિનીને બેભાન કરી દેતો હતો. પાડોશી સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ હતો. પિતાનું અવસાન થતાં નોકરીના આવેલા રૂપિયામાંથી 04 લાખ રૂપિયા લઈ આવવા ઢોર માર માર્યો હતો. સાસરિયાઓ યુવતીની છબી ખરડાવવાનો પ્રયાસ કરી તેના માતા તથા ભાઈને પણ ધાક ધમકી આપતા હતા.

આ પણ વાંચો:થરાદ કેનાલમાંથી બે લોકોનાં હાથ બાંધેલી હાલતમાં મળ્યા મૃતદેહ

આ પણ વાંચો:રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા