પાકિસ્તાને ભલે ભારત પર ખોટા આક્ષેપો કર્યા હોય, પરંતુ ધાર્મિક લઘુમતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે. દેશના લઘુમતી કાઉન્સિલરોએ ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, કારણ કે દેશમાં ધર્માંતરણ વધી રહ્યું છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવનારા 70 ટકાથી વધુ લોકોમાં સગીર છોકરીઓનો સમાવેશ થાય છે. ‘ધ નેશન’ અનુસાર, 2020માં દેશમાં આવા કેસ 15 હતા, જ્યારે 2021માં તે વધીને 60થી વધુ થઈ ગયા છે. દેશમાં દર વર્ષે 1,000 છોકરીઓનું અપહરણ થાય છે અને તેમને તેમની ધાર્મિક ઓળખ બદલવાની ફરજ પાડવામાં આવે છે.
અપહરણ બાદ છોકરીઓના લગ્ન કરાવી દેવામાં આવે છે અને તેમને આ પ્રથામાંથી બચાવવા માટે કંઈ કરવામાં આવતું નથી. તાજેતરમાં, 13 અને 19 વર્ષની બે હિંદુ છોકરીઓનું એક ખ્રિસ્તી છોકરી સાથે અપહરણ કરવામાં આવ્યું હતું અને ધર્મ પરિવર્તન કરીને 40 વર્ષના પુરુષો સાથે લગ્ન કર્યા હતા. ધ નેશનના જણાવ્યા મુજબ ચિંતાની વાત એ છે કે આવી ઘટનાઓને અટકાવતો કોઈ કાયદો નથી.
ધ નેશનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં તાજેતરના વર્ષોમાં લઘુમતીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને આવા અન્ય કેસ વધી રહ્યા છે. ઈસ્લામ ખબરે એક રિપોર્ટ પણ આપ્યો છે, જે મુજબ 1947માં પાકિસ્તાનના જન્મ બાદથી દેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના મામલા વધી ગયા છે.