મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. ખટલાપુરા મંદિર ઘાટ પર બોટ પલટી ખાતા 11 લોકોનાં મોત નીપજ્યાં છે. જો કે 9 લોકોનો સલામત બચાવી લેવામા આવ્યા છે.
આપને જણાવી દઈએ કે જે લોકોના મોત થયા છે તે તમામ લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ઘટના સ્થળ ઉપર રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
પ્રાથમિક માહિતી મુજબ શુક્રવારે સવારે ખટલાપુરા મંદિર ઘાટ ખાતે ગણપતિ વિસર્જન દરમિયાન બોટ તૂટી જવાને કારણે આ મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે 20 થી વધુ લોકો બોટમાં હતા. જેમાંથી અત્યાર સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે 9 લોકોનો બચાવ થયો છે. કેટલાક લોકો ગુમ થયાની માહિતી જાણવા મળી રહી છે.
ખટલાપુરા મંદિર ઘાટ પરથી ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે. ડાઇવર્સની મદદ લેવામાં આવી રહી છે. એનડીઆરએફની ટીમને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી છે. કમિશનર, કલેક્ટર, આઈજી અને ડીઆઈજી પણ ત્યાં પહોંચી ગયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ થઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.