પ્રાઈવેટ એર લાઇન્સ કંપની એર એશિયા – Air Asia ને આંતરરાષ્ટ્રીય લાઇસન્સ અને વિદેશી રોકાણ માટે એફઆઈપીબી મંજૂરીની માટે યુપીએ સરકારના એક ઉડ્ડયન મંત્રીને ૫૦ લાખ ડોલરની લાંચ આપવામાં આવી હતી. આ બાબતોનો ખુલાસો એર એશિયાના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) મૃત્યુંજય ચંદેલિયાએ કર્યો છે. ચંદેલિયાએ જણાવ્યું હતું કે, તત્કાલીન ઉડ્ડયન મંત્રીને સિંગાપુરની બેંક મારફત આ લાંચ આપવામાં આવી હતી. સીબીઆઈ હવે આ મામલામાં યુપીએ-2 સરકારમાં મંત્રી રહેલા બે નેતાઓની ભૂમિકાની તપાસ કરવાની તૈયારીમાં છે. જો કે એર એશિયાએ આ બધા આરોપોને ફગાવી દીધા છે.
સીબીઆઈએ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લાઇસન્સ મેળવવા માટેના નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને કેસ નોંધ્યો છે. સીબીઆઈની એફઆઈઆરમાં એર એશિયા મલેશિયાના ગ્રૂપ સીઈઓ એન્થની ફ્રાંસિસ ‘ટોની’ ફર્નાડિઝ ઉપરાંત ટ્રાવેલ ફૂડ (મુસાફરી ભોજન)ના માલિક સુનીલ કપૂર, એર એશિયાના નિર્દેશક આર. વેંકટરમણ, એવિએશન એડવાઇઝર દીપક તલવાર, સિંગાપુરની એસએનઆર ટ્રેડિંગના નિર્દેશક રાજેન્દ્ર દુબે અને અજ્ઞાત સરકારી કર્મચારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ મામલો લાઇસન્સ મેળવવા માટે કંપનીની તરફથી 5/20 નિયમના કથિત ઉલ્લંઘનની સાથે સંલગ્ન છે. આ ઉપરાંત તેમાં વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડ (Foreign investment promotion board-એફઆઈપીબી)ના નિયમોના ઉલ્લંઘનના કેસનો પણ સમાવેશ થાય છે. એવિએશન સેક્ટરમાં 5/20 નિયમનો મતલબ કોઈ પણ કંપનીની માટે પાંચ વર્ષનો અનુભવ અને 20 વિમાનોનો કાફલો હોવા અનિવાર્ય છે, ત્યારે જ તે આંતરરાષ્ટ્રીય ઉડાન પરિચાલન કરી શકે છે.
સીબીઆઈનો આરોપ છે કે, ફર્નાડિઝે લાઇસન્સ મેળવવા માટે સરકારી અધિકારીઓની સાથે કથિત લોબિંગની તે મોજુદ 5/20 નો નિયમને હટાવી ડે અને નિયામકિય નીતિમાં ફેરફાર કરે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ મામલામાં દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.