જબલપુર,
દેશમાં ભલે વિકાસની વાતોના બણગાં ફુકાતા હોય પરંતું એવી સચ્ચાઇઓ સામે આવી રહી છે કે જે સાંભળી આંખો ભીની થઇ જાય.મધ્યપ્રદેશના જબલપુરમાં પિતાએ પુત્રીને મારી નાંખી છે,જેનું કારણ સાંભળશો તો ચોંકી જશો.
જબલપુરમાં ભૂખ લાગવાના કારણે દોઢ વર્ષની બાળકી રડી રહી હોવાથી બાપ એટલો રોષે ભરાયો પત્થરથી માથું ફોડી તેની હત્યા કરી નાંખી અને તેની લાશને નાળામાં છુપાવી દીધી.આ બનાવની કરૂણતા એ છે કે બાળકીની હત્યા તેની 4 વર્ષની બહેનની નજર સામે જ કરવામાં આવી હતી.
આરોપી બાપને ત્રણ દીકરીઓ હતી અને ચોથી દીકરીનો જન્મ થોડા દિવસ પહેલા જ થયો. મા અને દીકરી બંને હોસ્પિટલમાં ભરતી હતા તે જ સમયે બાપે તેની પુત્રીને મારી નાંખી હતી અને માસૂમ બાળકીની લાશને નાળામાં છુપાવીને ફરાર થઈ ગયો હતો.
.સ્થાનિક લોકોએ બાળકીની લાશ અંગે પોલીસને જાણ કરી હતી.આરોપી હોસ્પિટલમાં પત્ની પાસે હોવાની જાણ થતાં જ પોલીસ ત્યાં પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ સમગ્ર ઘટના સૌથી મોટી દીકરીની સામે બની હતી. પોલીસ તરત જ બાળકીને એસપી ઓફિસ લઈ ગઈ જ્યાં આરોપીની સામે જ બાળકીએ પૂરી ઘટના વિશે જણાવ્યું. જે બાદ બાળકીએ ગુસ્સામાં આવીને પોલીસની સામે જ આરોપી પિતાને માર માર્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે સાંજે જ આરોપીએ દીકરીની હત્યા કરી નાંખી હતી અને્ નાળામાં લાશ છુપાવી દીધી હતી. ઘટના આરોપીની ચાર વર્ષની દીકરી સામે બની તેણે જઈને તરત જ આ વિશે તેની માસીને જાણ કરી.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.