અમૃતસર,
અમૃતસર જલિયાવાલા બાગ નરસંહાર કાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સવારે અમૃતસર ખાતે પહોચ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. રાહુલ ગાંધીની સાથે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યાં.જલિયાવાલા બાગ નરસંહારના શહીદોને શ્રદ્ધાજલિ આપતા પૂર્વે રાહુલ ગાંધીએ સ્વર્ણ મંદિરમાં દર્શન કર્યા.
ઉલ્લેખનિય છે કે અમૃતસરના જલિયાવાલા બાગના નરસંહાર કાંડને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે.આ પ્રસંગે અહી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં શહિદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.આ કાર્યક્રમાં ઉપરાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડૂ અને પંજાબના રાજ્યપાલ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.