Not Set/ શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં હોળીના દિવસે જ ખુલે છે

હોળી નો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે…ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે… આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે…. હોળીના લોકદેવ ભાભા રાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી…. આથી દર […]

Ahmedabad Trending Navratri 2022 Videos
ભાભા રાણા મંદિર શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં હોળીના દિવસે જ ખુલે છે
હોળી નો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે…ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે… આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે…. હોળીના લોકદેવ ભાભા રાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી…. આથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે….
ગોમતીપુરની પટવા શેરીમાં લોકોને સંતાન સુખ અને કુંવારાને કન્યા આપતા ભાભા રાણાનું પૌરાણિક મંદિર આવેલું છે…૧ ટન ચીકણી માટી માંથી ભાભા રાણા ની મૂર્તિ બનાવવામાં આવે છે…પરંપરા મુજબ, ગોમતીપુરના યુવાનો હોળીના આગલા દિવસે તળાવમાંથી ચીકણી માટી લાવીને ભાભા રાણાની મૂર્તિ બનાવે છે….મૂર્તિ પર સુંદર શણગાર કરવામાં આવે છે અને હોળીનો આખો દિવસ તેની પૂજા કરવામાં આવે છે….હોળી અને ધુળેટીના દિવસે લોકો દુરદુરથી અહીંયા દર્શન કરવા આવી પોહ્ચે છે….અને ધુળેટીના દિવસે ભાભા રાણાની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે….
ભાભા રાણા સંતાન સુખ ના હોય એવા લોકોને મદદ કરતા હોવાની લોકવાયકા છે…લોકોને સંતાન સુખ ના હોય એમની મદદ કરતા હતા એવી લોકવાયકા હોવાથી લોકો તેમની માનતા રાખે છે અને બાધા પૂર્ણ થયા બાદ તેમને પારણું બંધાવે છે….આ ઉપરાંત જેમના બાળકને શારીરિક ખોડ ખાપણ હોય તે પણ ચાંદીના પગ ચડાવે છે…હોળી અને ધુળેટીના બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભાભા રાણાના દર્શન કરવા અને સંતાન ન થતું હોય તો તેમની માનતા માનવા આવે છે….માત્ર એક જ દિવસ દર્શન થતા હોવાથી ભક્તોની ભારે ભીડ અહીંયા જામે છે….

[embedyt] https://www.youtube.com/watch?v=aIEfKGDEz0I[/embedyt]

ત્યારે અહીંયા લોકોનું પણ કેહવું છે કે આ મંદિર દાયકાઓથી અહીંયા છે…રાજા મહારાજા ના સમયકાળથી અહીંયા આ પ્રથા ચાલતી આવે છે જો ભાભારાણા ની વાત કરીઆએ તો ભાભા રાણા કણબી ખેડૂત હતા….શામળ ભટ્ટની સિંહાસન બત્રીસી વાર્તામાં ભાભા રાણાનો ઉલ્લેખ જોવા મળે છે…. તેઓ લગભગ 400 વર્ષ પહેલા વિક્રમ રાજાના સમયમાં ભગવાન થઇ ગયા હોવાનું કહેવામાં આવે છે…તેઓ લોકોનું વાંઝિયાપણું દૂર કરતા હોવાની લોકવાયકા અને વાર્તાઓ જોવા મળે છે…ત્યારે આજે વહેલી સવારથીજ લોકોની ભારેભીડ મંદિર ખાતે જોવા મળી હતી…