Not Set/ મોદીએ વાયુસેનાના 30 હજાર કરોડ લુંટીને અનિલ અંબાણીને આપ્યા : રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના એક દિવસ બાદ પત્રકાર પરિષદ યોજીને તેમના પર ભ્રષ્ટાચારના મુદ્દા પર આક્ષેપ કર્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાનના સોદાને લઇને એક અંગ્રેજી અખબારમાં છપાયેલ સમાચારના હવાલો આપીને કહ્યું કે રક્ષા મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે આ ડીલમાં મોદી પીએમઓ સાથે સમાંતર ચર્ચાઓ […]

Top Stories India Trending
qqp 9 મોદીએ વાયુસેનાના 30 હજાર કરોડ લુંટીને અનિલ અંબાણીને આપ્યા : રાહુલ ગાંધીનો આરોપ

નવી દિલ્હી,

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના એક દિવસ બાદ પત્રકાર પરિષદ યોજીને તેમના પર ભ્રષ્ટાચારના મુદ્દા પર આક્ષેપ કર્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ વિમાનના સોદાને લઇને એક અંગ્રેજી અખબારમાં છપાયેલ સમાચારના હવાલો આપીને કહ્યું કે રક્ષા મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે આ ડીલમાં મોદી પીએમઓ સાથે સમાંતર ચર્ચાઓ કરી રહ્યા હતા.તેમણે વાયુસેનાના 30 હજાર કરોડ લુંટીને અનિલ અંબાણીને આપી દીધા છે.

રાહુલે કહ્યુ હતુ કે રાફેલ ડીલમાં મોદીએ ચોરી કરી છે. રાહુલે એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકતા દાવો કર્યો હતો કે આ ડીલમાં સીધી સીધી રીતે મોદી સામેલ છે.

રોબર્ટ વાઢેરા, પી. ચિદમ્બરમ પર ચાલી રહેલી તપાસ પર તેમણે કહ્યુ હતુ કે જેના પર જેટલી ઇચ્છો તેટલી તપાસ કરાવો અમને કોઇ વાંધો નથી. પરંતુ રાફેલ મામલે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. તત્કાલીન ડિફેન્સ સેક્રેટર મોહન કુમારે કહ્યું છે કે જે પણ અહેવાલ મિડિયામાં પ્રકાશિત થયા છે તેને લઇને રાફેલ ડીલમાં કિંમત સાથે કોઇ લેવા દેવા નથી.

એક અખબારમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ડીલ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા પીએમઓ મારફતે ફ્રાન્સ સાથે સમાંતર વાતચીતનો વિરોધ કર્યો હતો. રાહુલ ગાંધીએ ૨૪મી નવેમ્બર 2015ના દિવસની એક નોટ પ્રકાશિત કરીને સંરક્ષણ મંત્રાલય પર પ્રહારો કર્યા હતા. રાહુલે આજે ફરી રાફેલનો મુદ્દો ઉઠાવ્યો હતો. એક અખબારમાં લખવામાં આવ્યુ છે કે વડાપ્રધાન વાતચીતમાં સીધી ભૂમિકા અદા કરી રહ્યા હતા. રાહુલે આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાને 30000કરોડનું કૌભાંડ કર્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ ડીલ  પોતાના મિત્ર અનિલ અંબાણીને આપી દીધી છે. રાફેલ ડીલ મુદ્દા પર દેશને ગેરમાર્ગે દોરી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ફ્રાન્સના પૂર્વ પ્રમુખ પણ કહી ચુક્યા છે કે મોદીએ સીધી રીતે અનિલ અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યુ હતુ કે મોદી બેવડી ભૂમિકા અદા કરી રહ્યા છે. જેમાં એકમાં ચોકીદાર છે અને અન્યમાં ચોરની ભૂમિકામાં છે. મોદી સમાંતર વાતચીત કેમ કર રહ્યા છે.