મુંબઈ
Angriya નામની લકઝરી ક્રુઝમાં હવે તમે સફર કરી શકો છો મુંબઈથી ગોવા સુધી. આ લકઝરી ક્રુઝ મારફતે તમે દરિયાઈમાર્ગે માયાનગરી મુંબઈથી ગોવા પહોચી શકો છો અને એ પણ તમારાં બજેટમાં. બોટટ્રીપ એ ઘણાં લોકોનું સપનું હોય છે અને હવે આ સપનું એક લકઝરી ક્રુઝ આંગ્રીય પૂરું કરી રહી છે એટલે હવે પહેલીવાર જળમાર્ગે મુંબઈ ટુ ગોવા ટ્રીપ થઇ શકશે.
આ ક્રુઝ આંગ્રીય સી ઈગલ પ્રાઇવેટ લીમીટેડની છે. આ ટ્રાવેલ કંપની પહેલીવાર પોતાની લકઝરી શીપ મુંબઈ ટુ ગોવાનાં રૂટ પર લાવી રહી છે. આ ક્રુઝની પહેલી ટુર ૩ ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે.આ શીપને નામ આપવામાં આવ્યું છે આંગ્રીય (Angriya). આ નામ મરાઠા નૌસેનાના મહાન કોરલ બેંક રીફ એડમાઈરલ કન્હોજી આંગ્રેના નામ પર રાખવામાં આવ્યું છે.
આ ક્રુઝ મુંબઈથી ગોવા પહોચવામાં 16 કલાકનો સમય લેશે અને આ શીપમાં એક સમયે 400 લોકો સવાર થઇ શકે છે. આ ક્રુઝ પોતાની સફર દરમ્યાન વચ્ચે માત્ર ત્રણ જગ્યાઓએ ઉભી રહેશે અને એ જગ્યાઓ છે, Dighi, Dabhol અને Malvan.
આ જહાજમાં સાત પ્રકારનાં રૂમ છે. સફર દરમ્યાન બે ટંકનું ભોજન અને એક બ્રંચ પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ ક્રુઝ પર સ્વીમીંગ પુલ પણ છે જેનો લાભ યાત્રીઓ લઇ શકે છે પોતાના સફર દરમ્યાન.
શું છે આ ટ્રીપનું ભાડું?
આટલી આલીશાન ક્રુઝ ટ્રીપની ટીકીટનો ભાવ તમારા બજેટમાં જ છે. એક માણસની ટિકિટનું ભાડું સાત હજારથી લઈને બાર હજાર સુધીનું હોઈ શકે છે.
આ છે લકઝરી ક્રુઝની તસવીરો ..