ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે જો જરૂર પડે તો ઉત્તર પ્રદેશમાં NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) પણ લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગીએ આસામમાં NRC લાગુ કરવાના નિર્ણયને હિંમતભર્યો નિર્ણય ગણાવ્યો છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, ‘કોર્ટના આદેશનો અમલ કરવાનો હિંમતભર્યો નિર્ણય છે. આપણે આ માટે વડાપ્રધાન અને ગૃહપ્રધાનને અભિનંદન આપવું જોઈએ. જો જરૂર પડે તો અમે ઉત્તર પ્રદેશમાં પણ આવું કરીશું. તેમણે એમ પણ કહ્યું કે, ‘આસામમાં જે રીતે NRC લાગુ કરવામાં આવી છે, તે શીખવા જેવુ છે. ત્યાંના અનુભવના આધારે, આપણે પ્રારંભ પણ કરી શકીએ છીએ. રાષ્ટ્રીય સુરક્ષા માટે આ મહત્વપૂર્ણ છે. આ ગરીબોના અધિકાર ગેરકાયદેસર ઘુસણખોરોને છીનવવાથી અટકાવશે.
એક ઇન્ટરવ્યૂમાં પુછવામાં આવેલ એક પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે’દરેકને કોર્ટમાં વિશ્વાસ છે. અમે કોર્ટના નિર્ણયને સ્વીકારીશું. તમારે ચિંતા કરવાની જરૂર નથી.
યોગી આદિત્યનાથે એમ પણ કહ્યું કે, ઉત્તરપ્રદેશની સરકાર વડાપ્રધાનની વાત સાથે સંપૂર્ણ સહમત છે. મર્યાદા પછી, તેને નિયંત્રિત કરવાની જરૂર છે. આનો અમલ કેવી રીતે થશે, આ મુદ્દે સરકારના સ્તરે ચર્ચા થવાની જરૂર છે. અમે તેના પર કામ શરૂ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.