તીર્થ નગરી તરીકે જાણીતી ઓડિશાની પુરી નગરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે. યાત્રા શરુ થઇ તે પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.
આપને જણાવીએ કે રથયાત્રાને ધ્યાન લઈને કડક સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણી કરવામાં આવી છે. આ રથયાત્રાનું ધાર્મિક રીતે ખુબ જ મહત્વ માનવામાં આવે છે. જણાવીએ કે ભગવાનના રથ ખેંચવા માટે વિશ્વભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ આવે છે.
આજે એટલે કે અષાઢી બીજના રોજ ભગવાન રથમાં સવાર થઈને માસી ગુંડિચા દેવીના મંદિરે જશે. ભગવાન વર્ષમાં એક અઠવાડિયા માટે માસીના ઘરે રહે છે. માસીના ઘરે જવા માટે ભગવાનની યાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આની તૈયારી સવારથી જ શરુ થઈ જાય અને દિવસ દરમિયાન ઘણાં રીતિ-રિવાજો સાથે રથ ખેંચવાનું પવિત્ર કાર્ય સાંજે 4 વાગ્યે સુધી થયા છે.
વસંત પંચમીથી રથ નિર્માણ કાર્ય શરુ કરી દેવામાં આવે છે.જેના માટે લીમડાના લાકડાના લાકડામાંથી રથ તૈયાર કરવામાં આવે છે અને તેને બનાવવામાં ધાતુનો પ્રયોગ કરવામાં નથી આવતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.