તમિલનાડુમાં ગાજા વાવઝોડાએ શ્રી ગણેશ કરી લીધા છે અને સાથે તબાહી મચાવવાનું પણ ચાલુ કરી દીધું છે. ભારે વરસાદ અને ઝડપી હવાને લીધે ૧૨,૦૦૦ વીજળીના થાંભલા પડી ગયા છે.
રાજ્યમાં અત્યાર સુધી ૨૦ લોકોના મૃત્યુ થયા છે. તમિલનાડુમાં દીઅલ પડવાને લીધે પણ ૪ લોકોના મૃત્યુ થયા છે. ઠેર-ઠેર વૃક્ષ ધરાશાયી થયા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવઝોડું ૬ કલાકોમાં નરમ પડશે.
તમને જણાવી દઈએ કે આશરે ૬૦ હજાર થી વધારે લોકોને ૬ જીલ્લામાં આવેલા ૩૩૧ રાહત કેમ્પમાં પહોચાડવામાં આવ્યા છે.