જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 દૂર કર્યા બાદ કોંગ્રેસ કોઇને કોઇ રીતે ભાજપ સામે નિવેદનો આપી રહી છે, કોંગ્રેસના આરોપ છે કે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો છીનવીને ખતરનાક કામ કર્યું છે, તે બધાની વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે ખીણમાં પોલીસ દ્વારા નાગરિકો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે,
આ બાબત આંતરરાષ્ટ્રીય મીડિયામાંથી સામે આવી હતી, જો કે કાશ્મીરના આઇજીએ આ દાવો ફગાવી દીધો છે, તેમને રાહુલ ગાંધીની વાત ખોટી હોવાનું કહ્યું છે, IG એસ.પી.પાણીએ એક વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટીકરણ આપ્યું છે.
કાશ્મીર પોલીસનું માનીએ તો ધારા 370 લગાવ્યાં પછી કાશ્મીરના લોકોએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે અને ઘાટીમાં કોઇ જ ફાયરિંગના બનાવ બન્યાં નથી. સાથે જ કરફ્યુમાં હવે ઢીલ આપવામાં આવી છે, લદ્દાખ, શ્રીનગર, અનંતનાગ સહિતના વિસ્તારોમાં જનજીવન સામાન્ય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.