ખાલિસ્તાન-ઇન્દિરા ગાંધી ઝાંખી/ કેનેડામાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવાનો મામલો ગરમાયો, હાઈ કમિશનરે ખેદ વ્યક્ત કર્યો

કેનેડાના બ્રેમ્પટનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરાયેલી હત્યાનું ચિત્રણ કરતી એક ઝાંખી પ્રકાશમાં આવી છે.

Top Stories World

કેનેડાના બ્રેમ્પટનમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા કરાયેલી હત્યાનું ચિત્રણ કરતી એક ઝાંખી પ્રકાશમાં આવી છે. હકીકતમાં, ઝાંખી 4 જૂને બ્રામ્પટનમાં શીખ પરેડનો ભાગ હતો, જેમાં ખાલિસ્તાનનો ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે આ ‘બદલો’ છે.

ટેબ્લો
ખાલિસ્તાન સમર્થકોની આ ઝાંખીમાં બે શીખ બંદૂકધારી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને ગોળી મારતા જોવા મળે છે.આ ઝાંખીમાં ઓપરેશન બ્લુ સ્ટાર અને 1984ના શીખ રમખાણોના બેનરો પણ જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ બધા ચોંકી ગયા છે અને વાંધો ઉઠાવી રહ્યા છે.

કેનેડિયન હાઈ કમિશનરનું નિવેદન
આ ઘટના બાદ ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમરન મેકેએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

ભારતીયો નારાજ
ભારતના લોકો આ ઘટનાક્રમથી આઘાત અને ગુસ્સે છે. લોકો કહે છે કે ભારતે બ્રેમ્પટનની પરેડમાં ઈન્દિરા ગાંધીની હત્યાની ઝાંખીને સામેલ કરવા સામે સખત વાંધો લેવા કેનેડિયન હાઈ કમિશનરને બોલાવવા જોઈએ.

હિન્દુ મંદિરને પણ નિશાન બનાવાયું હતું
અગાઉ, બ્રામ્પટન પ્રાંતમાં જ એક હિન્દુ મંદિરમાં ‘ભારત વિરોધી’ સૂત્રોચ્ચાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. તેના પર ટોરોન્ટોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે પણ ગૌરી શંકર મંદિર પર થયેલા હુમલાની નિંદા કરતું નિવેદન જાહેર કર્યું હતું.

ભારતે તાજેતરમાં કેનેડિયન હાઈ કમિશનરને બોલાવીને કેનેડામાં ભારતીય રાજદ્વારી મિશન વિરુદ્ધ ખાલિસ્તાની ઉગ્રવાદી તત્વો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે તેની તીવ્ર ચિંતા વ્યક્ત કરી હતી.

 

આ પણ વાંચોઃ દાવાનળ/ જંગલના દાવાનળથી કેનેડા-અમેરિકામાં દસ કરોડથી વધુ લોકોને અસર

આ પણ વાંચોઃ વૃદ્ધિદર/ 2023-24 માટે જીડીપી વૃદ્ધિદર 6.5% રહેશેઃ RBIનું અનુમાન

આ પણ વાંચોઃ સામુહિક આપઘાત/ સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચોઃ સાવધાન/ સુરતમાં વધ્યા હાર્ટ એટેક કેસ, એક જ સોસાયટીના બે લોકોએ ગુમાવ્યો જીવ