Apple Iphone-India/ ભારતમાં iPhoneનું ઉત્પાદન વધ્યું, રિપોર્ટમાં થયો ખુલાસો

કેલિફોર્નિયાની ટેક કંપનીએ ભારતને તેનું નવું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું છે અને ઘણા નવા અને જૂના iPhone મોડલનું ઉત્પાદન અહીંથી શરૂ થયું છે.

Trending Tech & Auto
Beginners guide to 2024 04 10T165924.943 ભારતમાં iPhoneનું ઉત્પાદન વધ્યું, રિપોર્ટમાં થયો ખુલાસો

કેલિફોર્નિયાની ટેક કંપનીએ ભારતને તેનું નવું મેન્યુફેક્ચરિંગ હબ બનાવ્યું છે અને ઘણા નવા અને જૂના iPhone મોડલનું ઉત્પાદન અહીંથી શરૂ થયું છે. કંપનીએ વર્ષ 2024માં લગભગ 14 ટકા iPhones ભારતમાંથી મેળવ્યા છે. એક નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હવે ભારતમાં દર સાતમાંથી એક આઈફોન યુનિટનું ઉત્પાદન થઈ રહ્યું છે. જો કે, કંપની અત્યારે ભારતમાં તમામ ઘટકો બનાવી રહી નથી અને iPhonesની એસેમ્બલી ભારતમાં થઈ રહી છે.

રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નાણાકીય વર્ષ 2024માં ભારતમાં એસેમ્બલ થનારી Apple iPhone યુનિટની કિંમત 14 અબજ ડોલર (લગભગ રૂ. 1,164 અબજ)ની નજીક છે. ભારતમાં Appleના મેન્યુફેક્ચરિંગ પાર્ટનર ફોક્સકોન દેશમાં બનેલા ફોનનું સૌથી મોટું સપ્લાયર છે. લગભગ 67 ટકા ઉત્પાદન તેના દ્વારા કરવામાં આવે છે અને પેગાટ્રોન લગભગ 17 ટકા ઉત્પાદન કરે છે. આ સિવાય ગયા વર્ષે કર્ણાટકમાં વિસ્ટ્રોનનો પ્લાન્ટ ખરીદ્યા બાદ બાકીનું ઉત્પાદન ટાટા ગ્રુપ કરી રહ્યું છે.

આઈફોન નિર્માતા કંપનીએ ચીનમાં તેનું ઉત્પાદન ઘટાડવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા ફેરફારો કર્યા છે. ચીનને બદલે એપલે ભારત અને વિયેતનામમાં પોતાનું રોકાણ વધાર્યું છે અને આગામી કેટલાક વર્ષોમાં એપલના મોટા ભાગના ઉપકરણોનું ઉત્પાદન ભારત અને વિયેતનામમાં થશે. ટાટા ગ્રૂપ પેગાટ્રોન સાથે પણ વાટાઘાટ કરી રહ્યું છે અને ચેન્નાઈ નજીક તેમનો પ્લાન્ટ હસ્તગત કરી શકે છે.

ભારતમાં PLI (પ્રોડક્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજનાઓ અને સસ્તા મજૂરને કારણે, માત્ર એપલ જ નહીં પરંતુ અન્ય મોટી ટેક કંપનીઓ પણ અહીં ઉત્પાદન શરૂ કરી રહી છે. આ સિવાય ટાટા ગ્રૂપ એપલને iPhone ઉત્પાદનમાં પણ મોટા પાયે મદદ કરી રહ્યું છે. એપલને ચીનમાં ઉત્પાદનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને સપ્લાય ચેઇન સમસ્યાઓના કારણે ઘણા ઉપકરણોનું ઉત્પાદન અટકાવવામાં આવ્યું હતું. કંપની ફરી આવી સ્થિતિ ટાળવા માંગે છે. Appleએ ગયા વર્ષે મુંબઈ અને દિલ્હીમાં તેના ફ્લેગશિપ સ્ટોર્સ ખોલ્યા હતા અને કંપનીના સીઈઓ ટિમ કૂક પોતે તેમના ઓપનિંગ માટે ભારત આવ્યા હતા. Apple બેંગલુરુ જેવા અન્ય શહેરોમાં પણ ફ્લેગશિપ સ્ટોર ખોલી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો