ગુજરાતનાં રંગીલા શહેર તરીકે પ્રખ્યાત રાજકોટને રોગચાળાએ કોટ(પક્કડ) કરી લીધો હોય તેમ રાજકોટ હાલમાં રોગકોટ જણાઇ રહ્યું છે. રાજકોટ શહેરમાં રોગચાળો એટલી હદે વકર્યો છે, જેનાં અંકડા જોઇને ભલભલાને થઇ જાય કે રાજકોટથી હમણા તો દુર રહેવું જ શારુ છે.
સરકારશ્રીનાં ચોપડા નોંધવામાં આવેલા આંકડા જોઇને તમે પણ અચંબામાં પડી જશો. ગત અઠવાડિયામાં મનપાના ચોપડે ડેન્ગ્યુના 99 કેસ નોંધાયા છે. રાજકોટ મ.ન.પાના આરોગ્ય વિભાગે રોગચાળાના આંકડા જાહેર કર્યા છે તે મુજબ ગત 7 દિવસમાં શરદી અને ઉધરસનાં 328 કેસ નોંધાયા છે. તો તાવનાં પણ અસંખ્ય કેસ વચ્ચે ટાઈફોડના 7 અને અન્ય તાવના 42 કેસ નોંધાયા છે.
હાલમાં રાજકોટમાં દેશ વિદેશથી મહેમાનો આવી રહ્યા છે. કારણ, કારણ છે ક્રિકેટ મેચ…જી હા ત્યારે જ આવા રાગચાળામાં સપડાયેલા રાજકોટને લોકો રોગકોટ કહી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.