કોરોના વાયરસના સંક્રમણનો સામનો કરી રહેલા ઈટલીમાં સરકારે આગામી રજાઓ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. લોકોને ફક્ત ક્રિસમસ અને નવા વર્ષ નિમિત્તે જ છૂટછાટ આપવામાં આવશે જેમાં તહેવાર દરમિયાન ફક્ત બે મહેમાનોને બોલાવવાની મંજૂરી આપવામાં આવશે.
ઇટાલીના વડા પ્રધાન જિયુસેપ કોન્ટેએ શુક્રવારે તેમની પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. કોન્ટેએ કહ્યું, ‘મંત્રી પરિષદના સભ્યો સાથેની બેઠકમાં અમે હુકમનામાનો કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 24 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર અને 1 થી 6 જાન્યુઆરી સુધીમાં, આખો દેશ રેડ ઝોનમાં ફેરવાશે. આ સમયગાળા દરમિયાન, દેશના એક પ્રાંતથી બીજા પ્રાંતમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સમય દરમિયાન, ફક્ત જરૂરી કાર્ય અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓના કારણે લોકો ઘરની બહાર જઇ શકશે.
ઇટાલીમાં, લોકોને 28, 29, 30 ડિસેમ્બર અને 4 જાન્યુઆરીએ ઘરમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે. આ દરમિયાન,દેશભરમાં બાર, રેસ્ટોરન્ટો અને દુકાનોને બંધ કરવામાં આવશે. અમેરિકાના જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઈ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, ઇટાલીમાં કોરોનાથી મૃત્યુ પામેલાની સંખ્યા 67,894 પર પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમીતોની સંખ્યા 19 લાખને પાર કરી 19,21,778 થઈ ગઈ છે.
UK માં ઝડપથી ફેલાતા કોરોનાવાયરસનાં ‘નવા લક્ષણો’, WHO ને આપી ચેતવણી
આ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની પુત્રીના બોયફ્રેન્ડના ખોરાકના કારણે કરિયાણાના બિલમાં 30 ટકાનો વધારો
દેશી કોરોના 1 કરોડને પાર, વિશ્વમાં 24 કલાકમાં 7.12 નવા લાખ કેસ સાથે 12000 મોત
લદ્દાખની ઘટના બાદ હવે ભારત-વિયેટનામની મિત્રતા વધુ મજબૂતી તરફ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…