દિલ્હી
જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે રાષ્ટ્રપતિ શાસન પાછુ ખેંચાયા પછી હવે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડશે. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હવે 6 મહિના સુધી રાજ્યપાલ શાસન રહેશે.
રાષ્ટ્રપતિની આ મંજુરી બાદ હવે રાજ્યપાલ એન એન વોરા પાસે રાજ્યનો ચાર્જ આવ્યો છે.રાજ્યપાલ એન એન વોરા 2008,2015 અને 2016 પછી હવે ચોથીવાર રાજ્યપાલનો ચાર્જ લેશે.જો કે એન એન વોરાની રાજયપાલ તરીકેની ટર્મ થોડા દિવસમાં પુરી થાય છે,પરંતું 26 ઓગષ્ટ સુધી અમરનાથ યાત્રા પુરી નહીં થાય ત્યાં સુધી તે રાજ્યપાલ તરીકે ચાલુ રહેશે.