જમ્મુ કાશ્મીર/ બાંદીપોરામાં બે આતંકવાદીઓ ઠાર, ભાજપના નેતાની હત્યામાં હતા સામેલ

એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના બાંદીપોરાના વટનિરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

Top Stories India
બાંદીપોરા માં બે આતંકવાદીઓ ઠાર

જમ્મુ -કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં ભાજપના નેતાની હત્યાના આરોપીનો પણ સમાવેશ થાય છે.

પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે જણાવ્યું કે આબિદ લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર હતો, જ્યારે આઝાદ 8 જુલાઈ 2020 ના રોજ ભાજપના નેતા શેખ વસીમ બારી, તેના ભાઈ ઉમર સુલતાન અને પિતા બશીર અહેમદ શેખની હત્યામાં સામેલ હતો. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા ના વટનિરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન એન્કાઉન્ટર શરૂ થયું જ્યારે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી.

તેમણે કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી અન્ય સામગ્રી સહિત હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે અને હજુ પણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.

Technology / ચાઇનીઝ ફોન ફેંકી દો અને તેનો ઉપયોગ કરવાનું ટાળો, આ દેશે તેના નાગરિકોને કરી આ અપીલ

Auto / MG Hector નું સસ્તું વેરિએન્ટ થશે બંધ, કેમેરા-ટચસ્ક્રીન જેવી સુવિધાઓ હતી ઉપલબ્ધ 

BSNLએ Jioને આપી માત / વર્ષભર ચાલતો પ્લાન Jio કરતા વધુ શક્તિશાળી છે, કિંમતમાં પણ છે કિફાયતી 

Technology / એક ક્લિકમાં ફોનમાંથી તમામ ડુપ્લિકેટ કોન્ટેક્ટ નંબરને આ રીતે દૂર કરો