ભારતનો તાજમહેલ વિશ્વભરનાં અજાયબીઓમાં સામેલ હતો જ, પરંતુ હવે સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યુરેશિયા, ભારત, પાકિસ્તાન, ચીન, કઝાકિસ્તાન, કિર્ગીસ્તાન, તજાકિસ્તાન, રશિયા અને ઉઝબેકિસ્તાનનાં આઠ દેશોનો જૂથ શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આઠ અજાયબીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે એક ટ્વીટમાં આની ઘોષણા કરી હતી. આપને જણાવી દઈએ કે, સવા વર્ષમાં 31.09 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા છે.
નોરોવને મળ્યા બાદ ભારતનાં વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું, ‘સભ્ય દેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એસસીઓનાં પ્રયત્નોની હું પ્રશંસા કરું છું. તેમણે કહ્યું કે, એસસીઓનાં આઠ અજાયબીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ ચોક્કસપણે પ્રેરણા તરીકે જોવામાં આવશે. ભારતનો તાજમહેલ એસસીઓ સિવાય વિશ્વનાં સાત અજાયબીઓમાં સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓની સંખ્યાની તુલનામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને પણ પાછળ છોડી દીધુ છે. વિશ્વનાં પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિનએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા માટેનાં 100 શ્રેષ્ઠ સ્થાનોનો સમાવેશ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ટાઈમ મેગેઝિનની વર્ષ 2019 ની સૂચિમાં વિશ્વની સર્વોચ્ચ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આગોતરું સ્થાન આપવામાં આવ્યું છે. નિર્માણનાં ટૂંકા ગાળામાં, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરનાં પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ પસંદગી બની છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશનાં પહેલા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. આ નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ નજીક કેવડિયા ખાતે સ્થાપવામાં આવી છે. તેનું અનાવરણ 31 ઓક્ટોબર 2018 નાં રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર, 31.09 લાખ પ્રવાસીઓએ સવા વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. આનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને કુલ 79.94 કરોડ રૂપિયાની આવક થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.