જમ્મુ-કાશ્મીરમાં એક બીએસએફ જવાનની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પુંછ જીલ્લામાં અગ્રીમ મોરચા પર તૈનાત જવાને આત્મહત્યા કરી લીધી છે.
બીએસએફના જવાને શા માટે આત્મહત્યા કરી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સીમા સુરક્ષા બળના જવાન એએસઆઈ સતપાલ જૈસવાલ પુંછ જીલ્લામાં મેંડર ડીવીઝનમાં બલાકોટ સેક્ટરમાં તૈનાત હતા. અજ્ઞાત ક્રનોને લીધે તેમણે અહિયાં આત્મહત્યા કરી લીધી છે.
બીએસએફના અધિકારી આ મામલે તપાસ કરી રહ્યા છે.