જામનગર,
જામનગરના સમણા રોડ પર નારણપુર પાસે ખાનગી બસ પટલી મારી જવાની ઘટના બની છે. અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જેમાં 3 મુસાફરોની હાલત ગંભીર જણાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, જામનગરના રામેશ્વર વિસ્તારના પ્રવાસીઓ બસમાં હતા. જેઓ નારાણપુર પાસે સ્વાધ્યાય પરિવારના રુક્ષ મંદિરે જઈ રહ્યા હતા. ઘટનાને પગલે બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.