Bollywood/ નાના દીકરાના નામ પર વિવાદ વધતા કરીના કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું…

કરીના કપૂર ખાને હાલમાં જ પોતાનું પુસ્તક ‘કરીના કપૂર ખાનની પ્રેગનન્સી બાઇબલ’ લોન્ચ કર્યું છે. આ પુસ્તકમાં, તેણે તેના નાના પુત્ર જેહનું પૂરું..

Entertainment
કરીના

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર તાજેતરમાં બીજી વખત માતા બની છે. આ વખતે માતા બન્યા બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કરીના પોતાના નાના દીકરાને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ બનવા જઈ રહી છે. કરીનાના દીકરાનો ચહેરો અત્યાર સુધી કોઈ કેમેરામાં કેદ થયો નથી, ન તો અભિનેત્રીએ પોતે અત્યાર સુધી પોતાના દીકરાનો ચહેરો બતાવ્યો છે. જી હા, તાજેતરમાં અભિનેત્રીના નાના પુત્રનું નામ ચોક્કસપણે સામે આવ્યું છે, જે બાદ ભારે હોબાળો થયો છે.

આ પણ વાંચો :અમિતાભ બચ્ચનના આ ફિલ્મની નવી રિલીઝ ડેટ થઈ જાહેર, જાણો કઈ છે

વાસ્તવમાં કરીના કપૂર ખાને હાલમાં જ પોતાનું પુસ્તક ‘કરીના કપૂર ખાનની પ્રેગનન્સી બાઇબલ’ લોન્ચ કર્યું છે. આ પુસ્તકમાં, તેણે તેના નાના પુત્ર જેહનું પૂરું નામ જાહેર કર્યું છે. જ્યાં સુધી લોકો ‘જે’ નામ જાણતા હતા ત્યાં સુધી કોઈ વાંધો નહોતો. પરંતુ જહાંગીરનું નામ સામે આવતા જ સોશિયલ મીડિયામાં ફરી એક વખત હોબાળો શરૂ થયો છે અને અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી સૈફ અને કરીનાએ આ હોબાળા પર મૌન રાખ્યું હતું, પરંતુ હવે અભિનેત્રીએ પોતાનું મૌન તોડીને આખરે વાત કરી છે.

a 185 નાના દીકરાના નામ પર વિવાદ વધતા કરીના કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું...

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કરીનાએ કહ્યું, ‘હું એક સકારાત્મક વ્યક્તિ છું, હું ખુશી અને સકારાત્મકતા ફેલાવવા માંગુ છું. મારી પાસે નકારાત્મકતા માટે કોઈ સ્થાન નથી. કોવિડ રોગચાળાએ શું કર્યું તે જુઓ, તે વિશ્વને નજીક લાવ્યું. આપણે આ બધી બાબતો વિશે વિચારવું જોઈએ. જ્યારે ટ્રોલર્સ સાથે વ્યવહાર કરવાની વાત આવે છે, ત્યારે મારે ધ્યાન શરૂ કરવું પડશે. કલ્પના કરો, અમે અહીં બે નિર્દોષ બાળકોની વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે કરીનાના મોટા પુત્ર તૈમુર અલી ખાનના નામને લઈને સોશિયલ મીડિયા પર ઘણો હંગામો થયો હતો.

આ પણ વાંચો :ભારતી સિંહની બહેન તેના જેવી લાગે છે,ફોટા જોઈને તમે માથું ખંજવાળશો

એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ આ મુદ્દે ખુલીને વાત કરી હતી. જ્યારે તેમને તૈમુરના નામ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “અમને અમારા બાળકનું નામ રાખવાનો અધિકાર હોવો જોઈએ.

a 186 નાના દીકરાના નામ પર વિવાદ વધતા કરીના કપૂરે તોડ્યું મૌન, જાણો શું કહ્યું...

100-200 વર્ષ પહેલા કે 300 વર્ષ પહેલા શું થયું” કોણે જોયું છે તે? અને તમે કેવી રીતે જાણો છો કે મેં તેનું નામ તેના નામ પરથી રાખ્યું છે. અમે તૈમુરનું નામ તેના અર્થ પરથી રાખ્યું છે. અમને તે નામ ગમ્યું. તે માતાપિતાનો નિર્ણય છે, જે કંઈ થયું તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી.

આપને જણાવી દઈએ કે ભૂતકાળમાં કરીનાની મિત્ર અને અભિનેત્રી સ્વરા ભાસ્કર કરીનાના સપોર્ટમાં આવી હતી અને ટ્રોલર્સને ફટકાર લગાવી હતી.

આ પણ વાંચો :સલમાન ખાનને મળ્યા મીરાબાઈ ચાનૂ, કહ્યું – સપનું થયું સાચું

જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે કરીના અને સૈફને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હોય. જયારે તેમનો મોટો છોકરો તૈમુરનો જન્મ થયો હતો અને જયારે તેનું નામ રાખ્યું હતું ત્યારે તેના નામને લઈને ઘણા ટ્રોલ થયા હતા. લોકોનું માનવું છે કે કરીના અને સૈફ એક હુમલાવર ઉપર બાળકનું નામ કેવી રીતે રાખી શકે છે ?

કરીના આ વર્ષે ફેબ્રુઆરીમાં બીજી વખત માતા બની છે, તેણે તેના પુત્રનું નામ જેહ રાખ્યું છે. કરીના ટૂંક સમયમાં જ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા આમિર ખાન જોવા મળશે.

આ પણ વાંચો :અંકિતા લોખંડેના પ્રેમીનો રોલ કરશે આ એક્ટર, પવિત્ર રિશ્તા 2 માં બતાવશે આવો લવ ઇન્ટરેસ્ટ