વિરાટ કોહલીએ તેની સદીઓના દુકાળનો India-Australia Fourth Test અંત લાવતા ઓસ્ટ્રેલિયા સામેની ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતે 9 વિકેટે 571 રન કરી 91 રનની નિર્ણાયક સરસાઈ મેળવી છે. શ્રેયસ ઐયર ઇજાગ્રસ્ત હોવાથી બેટિંગમાં આવ્યો ન હતો. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના અંતે વિના વિકેટે ત્રણ રન કર્યા હતા. ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારતે જેની અપેક્ષા હતી તે કોહલીની સદીઓના દુકાળનો અંત આવ્યો હતો. કોહલીએ પહેલા ટી-20, પછી વન-ડે અને હવે ટેસ્ટમાં પણ તેની સદીઓના દુકાળનો અંત આણ્યો હતો. કોહલીએ કારકિર્દીની 28મી સદી 241 બોલમાં પૂરી કરી હતી India-Australia Fourth Test અને તેણે 186 રન 364 બોલમાં 15 ચોગ્ગાની મદદથી નોંધાવ્યા હતા. આ સાથે કોહલીની આંતરરાષ્ટ્રીય સદીઓનો આંકડો 75 પર પહોંચી ગયો છે.
કોહલીની આ ઇનિગ્સે સચીનની તે ઇનિંગ્સની યાદ અપાવી હતી જેમા સચીને ટેસ્ટમાં India-Australia Fourth Test તેની સદીઓના દુકાળને ઓસ્ટ્રેલિયા સામે આ રીતે સદી મારીને પૂરો કર્યો હતો. તે સમયે પણ સચીન તેના આક્રમક અંદાજથી વિપરીત શિસ્તબદ્ધ રમ્યો હતો. કોહલીને અક્ષર પટેલે 79 રનમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ભારતને પ્રથમ દાવમાં 91 રનની લીડ અપાવી હતી. કોહલી અને અક્ષર પટેલ વચ્ચે છઠ્ઠી વિકેટની 162 રનની ભાગીદારી નોંધાઈ હતી. આ લીડ વધુ હોઈ શકી હોત પરંતુ શ્રેયસ અય્યર પીઠના નીચેના ભાગમાં દુખાવાને કારણે ચોથા દિવસે બેટિંગ કરી શક્યો ન હતો. તે સ્કેન કરાવવા માટે વહેલી સવારે સ્થળ છોડી ગયો હતો. એક સમયે ભારત આરામથી દોઢસો રનની લીડ આપે તેમ લાગતું હતું.
ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ચોથા દિવસે ઇજા પામ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ India-Australia Fourth Test મધ્ય સેશનમાં ડ્રિંક કર્યા પછી દોરડા પર કેચ લેવાનો પ્રયાસ કરતી વખતે તેના ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમના ફિઝિયો સાથે થોડા સમય બાદ તે મેદાનમાંથી લંગડાતો જોવા મળ્યો હતો. તેની ઈજાની વિગતોની પુષ્ટિ થઈ નથી પરંતુ તે પાછો ફર્યો ન હતો અને મેટ કુહનેમેન નાઈટ વોચર તરીકે ઓપનિંગ કરીને દિવસના મોડે સુધી બેટિંગ કરી ન હતી. ખ્વાજાને ભૂતકાળમાં તેમના ડાબા ઘૂંટણમાં ફાટેલું ACL અને ફાટેલું મેનિસ્કસ થયું છે અને બંનેમાં સારવાર માટે સર્જરી કરવામાં આવી હતી.
કુહનેમેન અને ટ્રેવિસ હેડ છ ઓવર ખેંચી ગયા.ઓસ્ટ્રેલિયા 88 રન પાછળ છે અને ક્રિકેટના ત્રણ સત્રો India-Australia Fourth Test બાકી છે. ઓસ્ટ્રેલિયા પાસે હવે મેચ બચાવવા સિવાય કોઈ આરો નથી. ભારત તે પરિસ્થિતિમાં આવી ગયું છે જ્યાંથી તે મેચ હારી શકે તેમ નથી. તેથી ઓસ્ટ્રેલિયાએ હવે ભારતીય સ્પિનરો સામે ત્રણ સત્રો કાઢવા પડશે. તેમા પણ પહેલું સત્ર તો ભારતે આપેલી સરસાઈ ઉતારવામાં જ પૂરું થઈ જશે.
આ પણ વાંચોઃ કર્ણાટક/ કર્ણાટકને પીએમ મોદીએ આપી બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસ વેની ભેટ, કહ્યું-કોંગ્રેસ ‘મોદીની કબર ખોદવાનું’ સપનું જોઈ રહી છે
આ પણ વાંચોઃ PM Security Breach/ પીએમ મોદીની સુરક્ષામાં ખામી અંગે કેન્દ્રએ પંજાબ સરકાર પાસેથી માંગ્યો એક્શન રિપોર્ટ
આ પણ વાંચોઃ ધોરાજી/ સ્યુસાઇડ નોટ I HATE YOU PAPA લખી ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાત