કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકનો પોતાના મામા ગોવિંદા સાથે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે મામા ગોવિંદા પોતાના ભાણીયા કૃષ્ણથી ઘણા નારાજ છે. કૃષ્ણ ઇચ્છે છે કે તે, મામા ગોવિંદા અને મામી સુનીતા (સુનીતા આહુજા) તેને માફ કરે.
આ પણ વાંચો :રજનીકાંતના ચાહકે ચડાવી બકરીની બલી, લોહીથી અન્નાત્થેના પોસ્ટરનો કર્યો અભિષેક
કૃષ્ણનું કહેવું છે કે, તે ઘણી વખત મામા અને મામીની માફી માંગી ચુક્યો છે, પરંતુ તેઓ માફ કરતા નથી. તાજેતરમાં પણ ગોવિંદા અને સુનીતા કપિલ શર્માના શોમાં દેખાયા હતા. આ શો પછીના પત્રકારોની વાત કરતા કૃષ્ણાની મામી સુનીતાએ કંઈક એવું કહ્યું હતું જેનાથું કૃષ્ણાને દુઃખ થયું હતું.
આપને જણાવી દઈએ કે, સુનીતાએ આજથી ૩ વર્ષ પહેલા કહ્યુ હતું કે, જ્યા સુધી હું જીવિત છું, ત્યાં સુધી આ મામલો બંધ નહિ થાય. તમે તમારા પરિવારના નામ પર કોઈનું અપમાન અથવા નીચુ દેખાડી શકતા નથી. અમે લોકોએ તને મોટો કર્યો છે અને અમે એની સાથે એવું નહી રાખ્યું.
આ પણ વાંચો :ટ્રેલર પર ટ્રોલ થયા બાદ નામ બદલાયું, હવે આ ટાઇટલ સાથે ફિલ્મ રાવણ લીલા થશે રિલીઝ
તેઓએ વધુમાં કહ્યું કે, હું આ અંગે વધુ કઈ પણ કહી શકું એમ નથી, કારણ કે આ મામલો ક્યારેય પણ સોલ્વ થવાનો નથી અને હું તેઓના ચહેરો ક્યારેય પણ જોવા નથી માંગતી. સ્પોટબોયના રીપોર્ટ મુજબ, મામી સુનીતા આ વાતોથી હતાશ કૃષ્ણાએ જણાવ્યું કે, મને ખબર છે કે, મારી મામી મારા વિરુધ ઘણું બધું બોલ્યા છે.
આ પણ વાંચો :મુશ્કેલીના સમયમાં શહનાઝ ગિલને મળ્યો પિતાનો સપોર્ટ, બનાવ્યું દીકરીના નામનો ટેટૂ
આ પણ વાંચો :સંજય દત્તને યાદ આવ્યો ડેબ્યૂ ફિલ્મનો પહેલો શોટ, તમે પણ જાણો આ રમુજી કિસ્સો