પડકાર/ કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલને ચર્ચા માટે સીધો પડકાર ફેંક્યો

પંજાબના પ્રભારી રાઘવ ચઢ્ઢાના આરોપથી નારાજ થયેલા કવિ કુમાર વિશ્વાસે પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને  ચર્ચા કરનવા માટે સીધો પડકાર ફેંક્યો છે

India
2 17 કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ કેજરીવાલને ચર્ચા માટે સીધો પડકાર ફેંક્યો

દેશમાં હાલ ચૂંટણીની મોસમ પુર બહાર ખીલી છે. પ્રત્યેક દિવસ આરોપ-પ્રતિઆરોપ લગાવવામાં આવી રહ્યા છે, ત્યારેઆમ આદમી પાર્ટીના પંજાબના પ્રભારી રાઘવ ચઢ્ઢાના આરોપથી નારાજ થયેલા કવિ કુમાર વિશ્વાસે પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલને  ચર્ચા કરનવા માટે સીધો પડકાર ફેંક્યો છે. આજે એટલે કે ગુરૂવારે કવિ કુમારે કહ્યું કે દેશને કહો કે તમે શું કહેતા હતા અને શું સાંભળતા હતા ,તમે દસ્તાવેજો લાવો અને પણ પુરાવો લઇને આવીશું એક ચર્ચા થઇ જાય ટીવી ચેનલ પર અથવા કોઇપણ ચોરાહા પર.

મોહાલીમાં AAPના પંજાબના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ગુરુવારે સવારે કુમાર વિશ્વાસના વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં કુમારે કહ્યું હતું કે કેજરીવાલ ખાલિસ્તાનના સમર્થક છે. કેજરીવાલે મને કહ્યું કે જો તેઓ પંજાબના સીએમ નહીં બને તો હું સ્વતંત્ર દેશનો પીએમ બનીશ.

જ્યારે કુમાર વિશ્વાસને રાઘવના નિવેદન પર તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, “તે તે સ્વાર્થી વ્યક્તિ (કેજરીવાલ) ના કેટલાક ચિન્ટુ બોલી રહ્યા છે જે આપણી લોહી અને પરસેવાની સરકારોની મલાઈ ચાટવા માટે આવ્યા છે. તમારા માલિકને ચર્ચા માટે મોકલો .

આના પર રાઘવે મીડિયા દ્વારા કહ્યું કે જો કેજરીવાલે 2017માં આવું કહ્યું હતું તો કુમાર વિશ્વાસ 2018 સુધી પાર્ટીમાં કેમ રહ્યા? રાજ્યસભામાં ખુરશી અને પક્ષમાં ઈચ્છિત પદ ન મળ્યું તો પ્રચાર શરૂ થઈ ગયો. ચઢ્ઢાએ કહ્યું કે કુમાર વિશ્વાસને ખબર હતી તો તેમણે સુરક્ષા એજન્સીઓને આ વાત કેમ ન જણાવી? ચૂંટણીના એક-બે દિવસ પહેલા આવું કેમ કહેવામાં આવી રહ્યું છે?