Not Set/ આર્યન ખાન કેસ મામલે શિવસેના સુપ્રીમ કોર્ટમાં,જામીન ન આપવા આરોપીનું અપમાન

આર્યન ખાનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ સાથે મુંબઈમાં NCB ની ભૂમિકાની તપાસની માંગ પણ કરવામાં આવી છે.

Top Stories India
innnnna આર્યન ખાન કેસ મામલે શિવસેના સુપ્રીમ કોર્ટમાં,જામીન ન આપવા આરોપીનું અપમાન

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં ધરપકડ કરાયેલા આર્યન ખાનના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટે શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ સાથે મુંબઈમાં NCB ની ભૂમિકાની તપાસની માંગ પણ કરવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ દ્વારા આર્યનના મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનની તપાસ હાથ ધરવાનો આદેશ માંગવામાં આવ્યો છે.

બંધારણની કલમ 32 હેઠળ અરજી આપતા કિશોર તિવારી, જેમની પાસે રાજ્ય મંત્રીનો દરજ્જો છે, તેમણે CJI NV રમનને “ઉચ્ચ પ્રાથમિકતા” ના આધારે આ મામલામાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષથી ખાસ એન્ન્ડા ‘ સાથે, NCB પક્ષપાતી અભિગમ અપનાવી રહી છે અને ફિલ્મી હસ્તીઓ, મોડેલો અને અન્ય હસ્તીઓને પરેશાન કરી રહી છે.

કલમ 32 હેઠળ, સુપ્રીમ કોર્ટ અને CJI બંધારણના ભાગ III હેઠળ , મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનને લગતી દરેક બાબતોની નોંધ લેવા માટે બંધાયેલા છે, જેનું NCB ઉલ્લંઘન કરી રહ્યું છે.

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાને સોમવારે જેલમાં કાઉન્સેલિંગ દરમિયાન કહ્યું હતું કે તે એક સારા નાગરિક બનશે અને દેશની સેવા કરશે. NCB મુંબઈના પ્રાદેશિક નિયામક સમીર વાનખેડે પોતે આર્યનનું કાઉન્સેલિંગ કર્યું હતું અને તેમને ડ્રગ્સથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.વાનખેડે તમામ આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની સલાહ આપે છે