મહાભારત પ્રાચીન ભારતની મહાન યુદ્ધની કથા છે. જેમાં માત્ર ધર્મની જીતનું પ્રતીક નથી પરંતુ તે સાચા કર્મની પ્રેરણા આપે છે. કૌરવોના અભિમાન અને કપટી વ્યવહાર તેમના મૃત્યુ અને કુળના વિનાશ માટે જવાબદાર બન્યા હતા.
સ્વયં ભગવાન કૃષ્ણ પાંડવોના સારથી બની યુદ્ધને દિશા આપી હતી. કુરુક્ષેત્રના મેદાનમાં આ ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈમાં ઘણા જીવ ગયા જ હતા સાથે ઘણા સંબંધોનું પણ ચીરહરણ થયું હતું. પરંતુ, શું તમે જાણો છો કે મહાભારતના 18-દિવસીય યુદ્ધના અંત પછી શું થયું? રાજા કોણ બન્યું અને તે પછીની વાર્તા શું છે?
પાંડવોએ હસ્તીનાપુરમાં 36 વર્ષ શાસન કર્યું.
પાંડવો મહાભારતની લડાઇ જીતી ગયા. યુધિષ્ઠિરને હસ્તીનાપુરના રાજા જાહેર કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, પાંડવોએ 36 વર્ષ સુધી શાસન કર્યું. ગાંધારી આ જોઈ ખૂબ દુઃખી અને ક્રોધિત હતી. કેમ કે તે એક માં હતી અને પુત્રોના મૃત્યુનું દુખ હતું. યુધીષ્ઠીરને રાજગાદી સોંપતી વખતે ગાંધારીએ કૌરવોના નાશ માટે ભગવાન શ્રી કૃષ્ણને દોષિત ગણ્યા. અને ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે, જેવી રીતે કૌરવોનો નાશ થયો એવી રીતે યદુકુળનો પણ વિનાશ થશે.
ગંધારીનું પણ એવું માનવું હતું કે, શ્રીકૃષ્ણ જો ધારત તો આ મહાયુદ્ધ રોકી શકત, પણ એણે એવું ના કર્યું. પણ શ્રીકૃષ્ણે તો ધર્મનો પક્ષ લઈને યુદ્ધ થવા દીધું. એટલે ગાંધારી દુખી હતા.
- યદુ કુળ નો નાશ
મહાભારતના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ પોતાની નગરી દ્વારકા ચાલ્યા ગયા હતા. ગાંધારીના શ્રાપની અસર હવે યાદવો પર શરૂ થઈ હતી. આ શ્રાપના કારણે, શ્રી કૃષ્ણના દ્વારકાની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ. યાદવો એકબીજાના દુશ્મન બની ગયા. શ્રીકૃષ્ણ ને ગંધારીએ આપેલા શ્રાપની અસર સમજાવા લાગી આથી શ્રી કૃષ્ણ યાદવને પ્રભાસ લઇ ગયા, ત્યાં પણ હિંસાએ એમનો પીછો ના છોડ્યો. યાદવો હવે એકબીજાના લોહીના વેરી થઈ ગયા અને સમગ્ર યાદવ કુળ નો નાશ થયો.
- શ્રી કૃષ્ણનુ મૃત્યુ
પ્રભાસ નરસંહાર પછી, ભગવાન કૃષ્ણએ જંગલમાં ધ્યાન કરવાનું નક્કી કર્યું. જ્યારે તેઓ ધ્યાનમાં સમાઈ ગયા હતા, ત્યારે જંગલમાં હરણ શિકાર કરતી વખતે જારા નામના શિકારીએ તીર ચલાવ્યું હતું, જે કૃષ્ણના પગમાં વાગ્યું હતું. તીર વાગતા જ શ્રી કૃષ્ણે શરીર ત્યાગ કર્યો અને શિકારી ની સામે જ વિષ્ણુ અવતાર ધારણ કર્યો. અને જરા નામના શિકારીને સમજાવ્યું કે, તું નિરાશ ના થા આ બધું વિધિનું જ વિધાન છે. મારું મૃત્યુ તારા હાથે નક્કી જ હતું. આ કર્મનો સિધ્ધાંત જ છે, તેમાંથી સ્વયં હું પણ બચી શકતો નથી. તેથી તું નિરાશ ના થા.
- સ્વર્ગ નો રસ્તો
બીજી તરફ એક ઋષિએ પાંડવોને સમજાવ્યું કે તમારો ઉદેશ પૂરો થઈ ગયો છે, તમારે હવે અંતિમ યાત્રા માટે હિમાલય તરફ જવું જોઈએ. ત્યાર બાદ અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર પરીક્ષીતને રાજપાઠ સોંપી પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ પ્રસ્થાન કર્યુ.
પાંડવોએ હિમાલય પહોંચી દ્રૌપદી અને એક કૂતરા સાથે સ્વર્ગ ની સીડી ચડવા લાગ્યા. ધીરે ધીરે સૌ યુધિષ્ઠિર નો સાથ છોડવા લાગ્યા. અને રસ્તા માંજ સૌ છુટા પડી ગયા. સૌ પ્રથમ દ્રૌપદી અને અંતમાં ભીમનું મૃત્યુ થયું. કહેવાય છે કે અંતમાં યુધિષ્ઠિર અને કૂતરો જ સ્વર્ગમાં સદેહ એટલે કે શરીર સાથે પહોંચ્યા. અને યુધીષ્ઠીર સાથે રહેલા કુતરા માટે કહેવાય છે કે, સ્વર્ગમાં જતી વખતે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે, તમે એકલા જ આવો આ કુતરાને અહી જ છોડી દો.
પણ યુધિષ્ઠિરે કહ્યું કે, ના…. હું કુતરાને મારી સાથે જ સ્વર્ગમાં લઇ જઈશ કેમ કે તેને પણ મારો સાથ પૂરી મુસાફરી દરમિયાન આપ્યો છે એટલે તે મારી સાથે જ આવશે. નહિ તો હું તેને લીધા વગર સ્વર્ગમાં ન આવી શકું તે ધર્મની વિરૃધ્ધ છે. આ સાંભળી તે કુતરાના સ્વરૂપમાં રહેલા યમદેવ પ્રગટ થાય છે અને યુધીષ્ઠીર પર ખુશ થઇ કહે છે કે તમે સાચા ધર્મરાજ છો કે, તમે એક કુતરા માટે પણ સ્વર્ગનું સ્થાન ત્યાગ કરવાની તૈયારી દર્શાવી. ધન્ય છે તમારી ધર્મનિષ્ઠા ને.
- ઇન્દ્ર સાથે મિલન
ભગવાન ઇન્દ્ર સ્વર્ગના દ્વાર પર યુધિષ્ઠિરનું સ્વાગત કરે છે અને યુધિષ્ઠિર સાથેનો કૂતરો અદ્રશ્ય થઈ ગયો, જે ખરેખર યમરાજ હતા. યુધિષ્ઠીરની પ્રશંસા કરતી વખતે, તેમણે સૌ પ્રથમ યુધિષ્ઠરે નરકને બતાવ્યું હતું. યુધિષ્ઠિર દ્રૌપદી અને તેમના અન્ય ભાઈઓ નરકમાં છે એમ કહેવામાં આવ્યું હતું. પછી ભગવાન ઇન્દ્ર કહે છે કે તેમના કર્મોની સજા પૂર્ણ કરીને તેઓ સ્વર્ગમાં જલ્દી જ પ્રવેશ કરશે. યુધિષ્ઠિરને પણ નવાઈ લાગે છે કે, પાંડવો નરકમાં કેમ પણ પાછળથી તે પાછળનું તથ્ય સમજાય છે અને પાંડવો નરકમાં હતા જ નહિ પણ યુધિષ્ઠિરને ખોટું કહેવામાં આવ્યું હતું કે, તે નરકમાં હતા…. તેની પાછળ પણ એક લાંબી કથા છે જે ફરી ક્યારેક ….
મિત્રો, કોઈપણ મનુષ્ય હોય કે પ્રાણી ,સૃષ્ટિના તમામ જીવોને પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું જ પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.