નવી દિલ્લી
હાલમાં એક સર્વેમાં ખુલાસો થયો છે કે ભારતમાં માત્ર ૨૪ ટકા પરણિત મહિલાઓ જ બીજું બાળક ઇરછે છે. સરકારી ડેટા પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષોમાં ૬૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે.
નેશનલ ફેમીલી હેલ્થ દ્વારા આ બાબતનો ખુલાસો થયો છે. આ સર્વે ૧૫ થી ૪૯ વર્ષ સુધીની મહિલા પર કરવામાં આવ્યો છે. જેમાં આ વાતનું ખંડન થયું છે કે માત્ર ૨૪ ટકા મહિલાઓ જ બીજા બાળકની ઇરછા રાખે છે. જયારે પુરુષોમાં ૨૭ ટકા લોકો ઇરછે છે.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે આ પાછળનું કારણ ઊંચું કેરિયર, ઊંચા સ્તરનું જીવન જીવવું અને મોડી ઉંમરે માં બનવાનું છે.
શહેરમાં રહેતા કપલ ૩૦ વર્ષની આસપાસ બાળક માટેનું પ્લાન કરવા માટે ડોકટરો પાસે આવે છે.
દિલ્લીના એક ગાયનેકોલોજિસ્ટ ડોક્ટરના કહેવા પ્રમાણે મોટા ભાગના લોકો મોડેથી બાળક લાવવાની ઇરછા રાખતા હોય છે કેમ કે પહેલા તેમને પોતાનું કેરિયર બનાવવું હોય છે. તો બીજી તતરફ મોટા ભાગના કપલ એક બાળકથી જ ખુશ છે.
વર્ષ ૨૦૧૧ની ગણતરી મુજબ ભારતમાં ૫૪ ટકા મહિલાઓ બે બાળકો હોવાની ઇરછા ધરાવતી હતી. હાલની જીવન શૈલી, ભણતર અને મોંઘવારી જેવા તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને મોટા ભાગના કપલ એક જ બાળક હોવાનું ઝંખે છે.