UAEમાં રમાઈ રહેલા એશિયા કપ માં 19 સપ્ટેમ્બરના રોજ ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવવાનો છે. આ રસપ્રદ મુકાબલાને લઈ ભારત અને પાકિસ્તાનની સાથે દુનિયાભરના ક્રિકેટ સમર્થકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે બંને દેશોના પરસ્પર કડવા સંબંધોના કારણે તેઓ લાંબા સમય બાદ એકબીજા સામે ટક્કર થઇ રહી છે.
દુબઈમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રહેલા મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજે ભારત પાસે ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો બદલો લેવાનો ચાન્સ છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં, ખલિલ અહેમદની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરની જગ્યાએ હાર્દિક પંડ્યાનો શમાવેશ કરવામાં આવ્યો છે. તો પાકિસ્તાનની ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.
બંને ઓપનર ફખર ઝમાન અને ઇમામ અલ હક સસ્તામા આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ શોએબ મલિક 43, બાબર આઝમ 47 રન બનાવી આઉટ થતા પાકિસ્તાન માત્ર ૧૬૨ રન બનાવી શકયું હતું
જવાબમાં રોહિત અને ધવને ભારતને શાનદાર શરુઆત કરાવતા ૧ વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી નોંધાવતા અનુક્રમે ૫૨ અને ૪૬ રન બનાવ્યા હતા. હાલ રાયડુ અને ડિ.કે. ૩૧-૩૧ રન બનાવ્યા હતા.