અમદાવાદ
મોટાભાગે મોનસૂન દરમિયાન લોકો સાધારણ વરસાદમાં પલળ્યા પછી પોતાની ત્વચાને નજર અંદાજ કરી દે છે. પણ આ નાનકડી બેદરકારી અનેકવાર ફંગલથી સંક્રમિત થવાનુ કારણ બની જાય છે. ફંગસ સંક્રમણથી બચવા માટે જરૂરી છેકે તમે એ વાતનુ ધ્યાન રાખો કે તમારી ત્વચા વધુ સમય સુધી ભીની ન રહે.
મોનસૂનની શરૂઆત પછી ફંગલ સંક્રમણના દર્દીઓની સંખ્યા વધી જાય છે. ફંગલ પેદા કરનારા જીવાણુ સામાન્ય રીતે માનસૂન દરમિયાન અનેક ગુણા ઝડપથી ફેલાય છે. આ સામાન્ય રીતે શરીરના નજર અંદાજ કરવામાં આવતા અંગો જેવા કે પગની આંગળીઓના પોર પર તેમની વચ્ચેના સ્થાન પર કે પછી એ સ્થાન પર જ્યા જીવાણુ કે ફંગલ સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાય છે.
વાળના સ્કૈલ્પમાં થનારા ફંગલ સંક્રમણના લક્ષણ સામાન્ય ફંગલ સંક્રમણથી જુદા હોય છે. સામાન્ય રીતે વાળના સ્કૈલ્પ પર નાના મોટા ફોલ્લા દાણા કે ચિપચિપી પરતના રૂપમાં દેખાય છે. તમને એવુ કોઈ લક્ષણ જોવા મળે તો તરત જ વિશેષજ્ઞની મદદ લો નહી તો સમય પર ઈલાજ ન કરવાથી આ તમારા વાળ ખરવાનુ મોટુ કારણ બની શકે છે. આ સમસ્યાથી બચવા માટે ખુદને સાફ અને સુકા રાખવુ જરૂરી છે.
આ સાથે જ એંટીબેક્ટેરિયલ સાબુના પ્રયોગથી પન તમે ખુદ ફંગલના સંક્રમણ થવાથી બચી શકો છો. આ ઉપરાંત તમારા કપડાને નિયમિત રૂપે ધુવો. ચોમાસામાં જો તમારા કપડામાં કિચડ લાગી જાય તો તેને તરત જ ધોઈ લો. તેનાથી ફંગલ સંક્રમણથી બચાવમાં મદદ મળશે.